સ્મૃતિ ઇરાનીએ ભારત જોડો યાત્રાને લઈ કોગ્રેસ અને રાહુલ ગાંધીને લીધા આડેહાથ
ભાજપ નેતા અને કેન્દ્રીય મંત્રી સ્મૃતિ ઇરાની અત્યાર ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં ભાજપ માટે પ્રચાર કરી રહી છે. ગુજરાતના સિદ્ધપુરમાં પોતાના રોડ શો દરમિયાન ટીવી ચેનલ સાથે વાત કરતા સ્મૃતિ ઇરાનીએ કહ્યુ કે, કોગ્રેસ અને ભારત જોડો
ભાજપ નેતા અને કેન્દ્રીય મંત્રી સ્મૃતિ ઇરાની અત્યાર ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં ભાજપ માટે પ્રચાર કરી રહી છે. ગુજરાતના સિદ્ધપુરમાં પોતાના રોડ શો દરમિયાન ટીવી ચેનલ સાથે વાત કરતા સ્મૃતિ ઇરાનીએ કહ્યુ કે, કોગ્રેસ અને ભારત જોડો યાત્રા અને રાહુલ ગાઁધી પર નિશાન સાધ્યુ હતુ. સ્મૃતિ ઇરાનીએ કહ્યુ કે, "ભારત તુટ્યુ જ નથી તો જોડવાની વાત ક્યાંથી આવી છે. તે કોને એક સાથે રાખવાની વાત કરી રહ્યા છે. ભારત જોડો યાત્રા હકીકતમાં એક "કોગ્રેસ ઢુઢો યાત્રા" જેવી છે."
સ્મૃતિ ઇરાનીએ કહ્યુ કે, "કોગ્રેસ ઢુઢો યાત્રા" ને તેમણે 8 ડિસેમ્પરે ગુજરાત અને હિમાચલ પર્દેશના ચૂંટણી પરીણામ આવ્યા બાદ શરૂ કરવો જોઇએ." તમે જોયુ જ હશે. ચુંટણીમાં ગાંધી પરીવાર ગાયબ હતો.
આ પહેલા પણ સ્મૃતિ ઇરાનીએ કોગ્રેસની ભારત જોડો યાત્રાની મજાક ઉડાવી હતી. રાહુલ ગાંધીની મજાક ઉડાવતા ઇરાનીએ કહ્યુ કે, કોગ્રેસ નેતા ભરતસિંહ સોલંકીને રાહુલ ગાઁધીનું ભાષણ સહન નહી થતા એટલા માટે તમણે અનુવાત બંધ કરી દિધો હતો. અને માઇક જ છોડી દિધુ હતો. તેમજ રાહુલ ગાંધીની ભારત જોડો યાત્રાને પાંખંડ કહ્યો હતો.