સૌરાષ્ટ્ર જતી કેટલીક ટ્રેનો રદ કરાઇ, રેલવે મુસાફરી કરતા પહેલા જાણી લો
Western Railway: પશ્ચિમ રેલવેના અમદાવાદ-વિરમગામ સેક્શનમાં એન્જિનિયરિંગ બ્લોકને કારણે આગામી બે દિવસમાં સૌરાષ્ટ્રમાં અનેક ટ્રેનો રદ થવાની તૈયારીમાં છે.
એક સત્તાવાર નિવેદન અનુસાર, ટ્રેન નંબર 22923 બાંદ્રા ટર્મિનસ-જામનગર હમસફર એક્સપ્રેસ, ટ્રેન નંબર 09208 ભાવનગર-બાંદ્રા સ્પેશિયલ ટ્રેન, અને ટ્રેન નંબર 22952 ગાંધીધામ-બાંદ્રા ટર્મિનસ એક્સપ્રેસ 29મી ફેબ્રુઆરીના રોજ સંપૂર્ણપણે રદ કરવામાં આવી છે.

1 માર્ચના રોજ રદ થનારી ટ્રેનોમાં ટ્રેન નંબર 22924 જામનગર-બાંદ્રા ટર્મિનસ હમસફર એક્સપ્રેસ અને ટ્રેન નંબર 19119 અને 19120 અમદાવાદ-વેરાવળ ઇન્ટરસિટી, વધુમાં ટ્રેન નંબર 22960 જામનગર-વડોદરા ઇન્ટરસિટી અને 22959 વડોદરા-જામનગર ઇન્ટરસિટી 1 માર્ચે રદ રહેશે.
ટ્રેન નંબર 09207 બાંદ્રા-ભાવનગર સ્પેશિયલ ટ્રેન, ટ્રેન નંબર 22951 બાંદ્રા-ગાંધીધામ એક્સપ્રેસ પણ 1 માર્ચે ટ્રેન નંબર 09459/60 અમદાવાદ-વિરમગામ મેમુ સ્પેશિયલ ટ્રેન રદ્દ કરવામાં આવી છે.
અત્રે એ પણ ઉલ્લેખનીય છે કે, 1 માર્ચે ભુજથી ઉપડતી ટ્રેન નંબર 14312 આંશિક રીતે વિરમગામ-કટોસણ રોડ-મહેસાણા તરફ ડાયવર્ટ કરવામાં આવશે, અને ચાણલોડિયા સ્ટેશન પર રોકાશે નહીં.












Click it and Unblock the Notifications
