ગુજરાતમાં BJP સાથે પંજો લડાવવા સોનિયા, PM, રાહુલ તૈયાર
ગુજરાતમાં ભાજપ ખાસ કરીને મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીના ઝંઝાવાતી પ્રચાર સામે કોંગ્રેસના દિગ્ગજ નેતાઓ કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષા સોનિયા ગાંધી, વડાપ્રધાન મનમોહન સિંહ અને અખિલ ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસના મહામંત્રી અને યુવા નેતા રાહુલ ગાંધીએ પંજો લડાવવાની તૈયારી કરી લીધી છે. આગામી ત્રણ દિવસમાં તેઓ ગુજરાતમાં પ્રચાર કરવા આવી પહોંચવાના છે. આ ત્રણે નેતાઓ ગુજરાત વિધાનસભા ચૂંટણી 2012ના પ્રચાર માટે તારીખ 9, 10 અને 11 ડિસેમ્બર, 2012ના રોજ ગુજરાતના પ્રવાસે આવશે.
સોનિયા ગાંધી 10 ડિસેમ્બરે સિદ્ધપુર, જિલ્લો પાટણમાં અને સેવાલીયા -ઠાસરા, જિ.ખેડામાં ચૂંટણી સભા સંબોધશે. વડાપ્રધાન ડૉ મનમોહનસિંહ ૯ ડિસેમ્બર, ર૦૧રના રોજ વાંસદા, જિ. નવસારીમાં ચૂંટણી સભા સંબોધશે.
કોંગ્રેસના યુવરાજ અખિલ ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસના મહામંત્રી અને યુવા નેતા રાહુલ ગાંધી 11 ડિસેમ્બર, 2012ના રોજ સાણંદ, જિ. અમદાવાદ, જામનગર, જિ. જામનગર અને અમરેલી, જિ. અમરેલીમાં જાહેર ચૂંટણી સભાને સંબોધન કરશે.
અખિલ
ભારતીય
કોંગ્રેસ
સમિતિના
સચિવ
તથા
સાંસદ
સંજય
નિરૂપમ
8થી
11
ડિસેમ્બરના
રોજ
ગુજરાત
વિધાનસભાની
ચૂંટણીના
પ્રચાર
અર્થે
ગુજરાતના
પ્રવાસે
આવશે.
તેઓ
8મીએ
સુરેન્દ્રનગર,
10મીએ
નવસારી,
બિલીમોરા
અને
સુરતમાં
સભા
સંબોધશે.
જ્યારે
11
ડિસેમ્બરનો
પ્રવાસ
કાર્યક્રમ
પછીથી
જાહેર
કરાશે.