સમાજવાદી પાર્ટીનું ગુજરાતમાં 10 બેઠકો પર વિજય મેળવવાનું આયોજન

સમાજવાદી પાર્ટીએ ગુજરાતમાં મોદીને સત્તા પર લાવનારા વર્ગોને પોતાની તરફ આકર્ષવાનું શરૂ કર્યું છે. સપાના સુપ્રીમો મુલાયમ સિંહ યાદવના નજીકના સૂત્રોનું કહેવું છે કે થોડા દિવસો પહેલા જ ગુજરાતમાંથી સમાજવાદી પાર્ટીના અગ્રણી કાર્યકરોએ મુલાયમ સિંહ યાદવ, અખિલેશ યાદવ અને આઝમ ખાન સાથે બેઠક યોજી ગુજરાતમાં કેવી રીતે ચૂંટણી લડવી તેનો વ્યૂહ ઘડી કાઢ્યો છે.
મુલાયમ સિંહ યાદવ એ બાબત સારી રીતે જાણે છે કે ગુજરાતમાં એક વર્ગ આજે પણ એવો છે કે જે ગુજરાતમાં થયેલા રમખાણોથી નારાજ છે. આ વર્ગનું માનવું છે કે ગુજરાતમાં રણખાણો થયા ના હોત તો વિકાસના માર્ગમાં ગુજરાત ઘણું આગળ હોત. આ વાતને પકડીને મુલાયમ ગુજરાતમાં લાભ મેળવવા માંગે છે. મુસ્લિમોમાં મુલાયમ ઘણા લોકપ્રિય છે આ કારણે તેમને મુલ્લાહ મુલાયમના ઉપનામથી પણ ઓળખવામાં આવે છે.












Click it and Unblock the Notifications
