ગુજરાત એસટીએ મુસાફરોને અડાબીડ જંગલમા રઝળાવ્યા
કોડિનારથી અમરેલી જતી એસટીની બસ અડાબીજ જંગલમાં ખોરલાઇ. એસટીમાં પ્રવાસ કરતા લોકોની હાલત થઈ ખરાબ. આ અંગે વધુ વાંચો અહીં.
'સલામત સવારી, એસટી અમારી' અને 'વધુ બસ, સારી બસ'ના કહેવાતા સારા સ્લોગન હેઠળ ચાલતી જીએસઆરટીસીની કોડીનાર-અમરેલીની બસ જંગલના રસ્તે ખોટકાઈ હતી, જેના પરિણામે મુસાફરો અડાબીડ જંગલમાં અટવાઈ ગયા હતા. વૃદ્ધો તથા નાના બાળકો ભરજંગલમાં પાણી અને ખોરાકની મુશ્કેલીનો સામનો કરી રહ્યા હતા, ત્યારે મુસાફરોના જણાવ્યા પ્રમાણે એસટી તંત્રએ આ અંગે કોઈ દરકાર લીધી ન હતી. વળી, સાંજના સમયે એસટી ખોટકાઈ જતા મુસાફરો થોડા ચિંતિત પણ હતા.

ગાઢ જંગલ પાસે સાંજના સમયે એસટી ખોટકાઇ પડતાં બસમાં મહિલાઓ અને બાળકો સાથે મુસાફરી કરી રહેલ લોકોની ચિંતા વધી હતી. આ જંગલમાં અંધારું થતા જ જંગલી પ્રાણીઓ ટહેલવા નીકળી પડતા હોય છે. મુસાફરોના જણાવ્યા પ્રમાણે, મધ્ય ગીરના સેમરડી નજીક એસ.ટી.બસ બંધ પડી હતી. બસમાં કુલ 55-60 જેટલા મુસાફરો હતા. બસ ચાલુ ન થતાં આખરે તેઓ ખાનગી વાહનની મદદથી માંડ-માંડ ધાર્યા મુકામે પહોંચ્યા હતા.
-
ઈરાન સંઘર્ષ ચર્ચાઓ વચ્ચે ટ્રમ્પે નાટોના સમર્થનથી નારાજગી વ્યક્ત કરી -
કેરળના તમામ ૧૪૦ વિધાનસભા મતવિસ્તારોમાં સુરક્ષાના કડક પગલાં સાથે મતદાન શરૂ થયું -
પત્નીને પતાવી દેવાનુ કાવત્રું રચ્યું હતું હવાઈના ડૉક્ટર ગેરહાર્ટ કોનિગને, દોષી ઠેરવવામાં આવ્યો -
ભૂતને પીપળો મળી જાય, ઓનલાઈન સ્ટોક ટ્રેડિંગ કૌભાંડમાં પુણેના ડૉક્ટર સાથે 12 કરોડની ઠગાઈ -
VerSe Innovation એ પ્રસન્ના પ્રસાદની CPTO તરીકે નિમણૂક કરી; AI ક્ષેત્રે નવા સંશોધનો પર આપશે ભાર -
ઇન્દોરના કોંગ્રેસ કાઉન્સિલર ફૌઝિયા શેખ આલીમે વંદે માતરમ ગાવાનો ઇનકાર કરતાં રાજકીય વિવાદ સર્જાયો -
ઈરાન યુદ્ધવિરામથી કામચલાઉ રાહત મળી, પરંતુ ઘણા રાષ્ટ્રો માટે ઈંધણ સંકટ હજુ પણ યથાવત -
ઈરાન-અમેરિકા યુ્દ્ધને પગલે ખાદ્યપદાર્થો મોંઘા થશેઃ વિશ્વ બેંકે આપી ચેતવણી -
આસામની ૧૨૬ વિધાનસભા બેઠકો માટે મતદાન શરૂ -
હૂમાયુ કબીર વિડિયો વિવાદ બાદ AIMIM એ AJUP સાથેનું ગઠબંધન તોડ્યું -
કર્ણાટક પેટાચૂંટણી: રાજકીય પ્રતિષ્ઠા વચ્ચે બાગલકોટ અને દાવણગેરે દક્ષિણમાં મતદાન ચાલુ -
પુડુચેરી વિધાનસભા ચૂંટણીમાં 9.50 લાખ મતદારો સાથે કડક સુરક્ષા વચ્ચે મતદાન શરૂ થયું












Click it and Unblock the Notifications
