હવે માત્ર 300માં થશે વારસાઈ જમીનની વહેંચણી, સરકારનો મહત્વનો નિર્ણય
ગુજરાત સરકારના મહેસૂલ વિભાગ દ્વારા ખેતીની જમીનની વહેંચણીને લઈ મોટો નિર્ણય લેવાયો છે. હવે ખેડૂત ખાતેદારના મૃત્યુ બાદ વારસદારોએ જમીન વહેંચણી માટે માત્ર ₹300ની સ્ટેમ્પ ડ્યૂટી ભરવાની રહેશે.
આ નવા સુધારાના અમલથી વારસદારોને હવે જંત્રી દર કે બજારભાવ મુજબની મોટી સ્ટેમ્પ ડ્યૂટીમાંથી મુક્તિ મળશે. અગાઉ આ પ્રક્રિયા માટે 100ના સ્ટેમ્પ પેપર પર સોગંદનામું કરવાની જૂની જોગવાઈ અમલમાં હતી.

મહેસૂલ વિભાગના 13 સપ્ટેમ્બરના ઠરાવ મુજબ કૌટુંબિક વહેંચણીની કાર્યપદ્ધતિમાં પારદર્શિતા લાવવા ફેરફાર કરાયો છે. આ નિર્ણયથી જમીનમાંથી હક ઉઠાવવા અને પુનઃ વહેંચણી કરવાની પ્રક્રિયા હવે ઘણી સરળ બની જશે.
અગાઉ ખેડૂતના અવસાન બાદ પુત્ર, પુત્રી કે પત્ની જેવા સીધા વારસદારો વચ્ચેની વહેંચણીમાં ડ્યૂટી લાગતી નહોતી. પરંતુ વારસદારનું મૃત્યુ થયું હોય ત્યારે પૌત્ર-પૌત્રીઓ પાસેથી મિલકતની બજાર કિંમત મુજબ ડ્યૂટી લેવાતી હતી.
વારસદારોના મૃત્યુના કારણે ઉદ્ભવતા આ આર્થિક બોજને વહીવટી રીતે અન્યાયી માનીને હવે તે નાબૂદ કરાયો છે. સરકારના આ સુધારાત્મક પગલાંથી ખેડૂત પરિવારોને જમીન માલિકીના પ્રશ્નોમાં મોટી આર્થિક રાહત અને સુવિધા મળશે.












Click it and Unblock the Notifications
