રાજ્ય સરકારે બિંદુ સરોવરના વિકાસ માટે ખર્ચ્યા ૩પ કરોડ

પ્રદીપસિંહ જાડેજાએ જણાવ્યું હતું કે, છેલ્લા બે વર્ષમાં ગુજરાત પવિત્ર યાત્રાધામ વિકાસ બોર્ડ અને ગુજરાત પ્રવાસન નિગમ લિ. દ્વારા સિદ્ધપુર ખાતે ખૂબ જ મહત્વના કામો હાથ ધરવામાં આવ્યા છે. જેમાં બિંદુ સરોવર ઉપરાંત અલ્પા સરોવર, સિદ્ધેશ્વર મહાદેવ અને યજ્ઞશાળાને નવપલ્લવિત કરવાના કામો ઉપરાંત જયોતિર્લિંગ, ઘાટ વિકાસ, સાંઇબાબા મંદિર, ગોગા મહારાજ મંદિર, પરિસર વિકાસ વગેરે કામોનો સમાવેશ થાય છે.
આ તીર્થક્ષેત્રમાં લોકોની મુલાકાત અંગેના પ્રશ્નનો પ્રત્યુત્તર પાઠવતાં પ્રદીપસિંહ જાડેજાએ જણાવ્યું હતું કે, આ પવિત્ર યાત્રાધામમાં દરરોજ સરેરાશ બે હજાર જેટલા લોકો દર્શનાર્થે અને ધાર્મિક ક્રિયા અર્થે આવે છે. તેમણે જણાવ્યું હતું કે, કાર્તિકી પૂર્ણિમાના દિવસે આ તીર્થક્ષેત્રની ૬ થી ૭ લાખ શ્રદ્ધાળુઓ અને મહાશિવરાત્રીના મેળામાં એકાદ લાખ લોકો અહીં આવે છે અને શ્રદ્ધાપૂર્વક ધાર્મિક ક્રિયા કર્મ અને દર્શન-અર્ચન કરે છે.
પ્રદીપસિંહ જાડેજાએ સિદ્ધપુરને સરસ્વતી-નર્મદાના સંગમનું આગવું સ્થાન ગણાવી જણાવ્યું હતું કે, આ વિસ્તારની વોરા જ્ઞાતિની સાંસ્કૃતિક વિરાસતને ધ્યાને લઇ મ્યુઝીયમ બનાવવાનું પણ રાજ્ય સરકારે નક્કી કર્યું છે. આ ચર્ચામાં ધારાસભ્યો રણછોડભાઈ રબારી અને તારાચંદભાઈ છેડાએ પણ ભાગ લીધો હતો.
-
Women's Day 2026: 8 માર્ચે જ કેમ ઉજવાય છે આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ? જાણો ઈતિહાસ, મહત્વ અને આ વર્ષની થીમ -
ઓમ બિરલા સામે અવિશ્વાસ પ્રસ્તાવ, જાણો સ્પીકરને હટાવવાના નિયમો અને પ્રક્રિયા -
IND vs NZ Final: ભારતે ન્યુઝીલેન્ડને જીતવા માટે આપ્યો 256 રનનો ટાર્ગેટ -
Earthquake: રાજસ્થાનના સીકરમાં ધરા ધ્રુજી, ખાટુશ્યામજી સહિત અનેક વિસ્તારોમાં 3.5ની તીવ્રતાનો ભૂકંપ -
ગુજરાતમાં હાલ પીવાના પાણીનો પુરતો જથ્થો:ગુજરાત સરકાર -
ગુજરાત સરકારનો મોટો નિર્ણય, 6 મહાનગરપાલિકાઓમાં વહીવટદારોની નિમણૂક -
Petrol Diesel Price: 8 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
T20 World Cup : ભારતના ખાતામાં વધુ એક વર્લ્ડ કપ, ન્યુઝીલેન્ડને હરાવીને ચેમ્પિયન -
LPG Price: મોંઘવારીનો ઝટકો, ઘરેલું ગેસ 60 અને કોમર્શિયલ ગેસ 115 રૂપિયા મોંઘો, જાણો તમારા શહેરના લેટેસ્ટ રેટ -
Weather News: ઉત્તર ભારતના આ રાજ્યોમાં વધશે તાપમાન, હિમાચલમાં વરસાદ, જાણો હવામાન વિભાગની આગાહી -
Gold Rate Today: એક જ અઠવાડિયામાં સોનું ₹5060 સસ્તું થયું, જાણો લેટેસ્ટ કિંમત -
કેશોદ એરપોર્ટ પર પાઇલટ ટ્રેનિંગ સેન્ટર શરૂ થશે, જાણો શું કહ્યું સરકારે?










Click it and Unblock the Notifications
