રાજ્યમાં બે સ્થળોએ યોજાઇ પેટા ચૂંટણી
રાજકોટના ધોરાજી અને અમદાવાદના વિરમગામ ખાતે પેટા ચૂંટણી યોજાઇ હતી.
રવિવારના રોજ રાજ્યમાં બે સ્થળોએ પેટા ચૂંટણી યોજાઇ હતી. રાજકોટના ધોરાજીમાં રવિવારે વોર્ડ નંબર 12ની પેટા ચૂંટણી યોજાઇ હતી. આ વિસ્તારના ભાજપના મહિલા સભ્યએ વિકાસના કામો યોગ્ય રીતે ન થતાં પોતાના પદેથી રાજીનામું આપી દીધું હતું, આથી રવિવારેના રોડ પેટા ચૂંટણી યોજવામાં આવી હતી. ચૂંટણીમાં શાંતિપૂર્ણ મતદાન થયું હતું, ભાજપ અને કોંગ્રેસ બંન્ને પક્ષના ઉમેદવારો આ ચૂંટણીમાં સામસામે છે.

આ બંન્ને પક્ષના ઉમેદવારોએ મતદાન કરી જીતવાનો દાવો કર્યો હતો. મતદાન સમયે ધોરાજીના પીઆઇ જયરાજ સિંહના માર્ગદર્શન હેઠળ ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવાયો હતો. ધોરાજીના ઉબડ-ખાબડ રસ્તાઓ અને ભૂગર્ભ ગટરનો વણઉકેલ્યો પ્રશ્ન ભાજપની વિરુદ્ધ કામ કરે એમ લાગી રહ્યું છે. પરંતુ દેશમાં અને ખાસ કરીને ગુજરાતમાં ભાજપની લહેર ચાલી છે, આથી ભાજપની જીતની શક્યતાને સાવ નકારી શકાય એમ પણ નથી. જો કે, મંગળવારે મતગણતરી થયા બાદ જ અંતિમ ચિત્ર સામે આવશે.
બીજી બાજુ અમદાવાદના વિરમગામ તાલુકા પંચાયતની ખાલી પડેલ બેઠક માટે પણ મતદાન યોજાયું હતું. વિરમગામ પંચાયતની 15-થોરીથાંભા બેઠક હાલ ખાલી છે, અગાઉના બંન્ને સભ્યોના કુદરતી રીતે મોત નીપજતાં રવિવારે આ બેઠક માટે પેટા ચૂંટણીનું આયોજન થયું હતું. બપોરે 12 વાગ્યા સુધીમાં 45 ટકા મતદાન નોંધાયું હતું.
આ બેઠક પર પહેલાં કોંગ્રેસના ઉમેદવાર ઘરશીભાઇ ઘરમશીભાઇ કો. પટેલ 925 મતે વિજેતા ચૂંટાયા હતા. તેમના મૃત્યુ બાદ ભાજપના વાઘજીભાઇ ચેહરભાઇ કો. પટેલ 16 મત સાથે વિજયી થઇ આ બેઠક પર આવ્યા હતા. તેમનું પણ મૃત્યુ થતાં રવિવારના રોજ પેટા ચૂંટણીનું આયોજન કરવામાં આવ્યું હતું. આ ચૂંટણી માટે ભાજપના વર્તમાન ઉમેદવાર છે પટેલ છનાભાઇ હીરજીભાઇ છે તથા કોંગ્રેસ તરફથી પટેલ ભાઇલાલભાઇ શંકરભાઇએ ઉમેદવારી નોંધાવી છે. આ ચૂંટણીની મતગણતરી પણ મંગળવારે હાથ ધરવામાં આવશે.
-
31 માર્ચે મેટ્રો અમદાવાદ મેટ્રોના સમયમાં ફેરફાર, અત્યારે જ જાણી લો નવુ ટાઈમ ટેબલ -
વાતચીતની ચર્ચા વચ્ચે ટ્રમ્પ ઈરાન સાથે દગો કરી રહ્યા છે? જાણો કેવી રીતે? -
મોંઘવારી વચ્ચે હવે ટોલ ટેક્સ વધારાનો માર, 1 એપ્રિલથી વધી જશે -
ગુજરાતમાં વાતાવરણમાં પલટો, અમરેલી પંથકમાં માવઠુ -
LPG Price Today: યુદ્ધ વચ્ચે જનતા પર પડ્યો મોંઘવારીનો માર, સિલિન્ડરના ભાવમાં વધારો, જાણો શું છે લેટેસ્ટ રેટ? -
વર્ષો પછી ભારતને એવા વડાપ્રધાન મળ્યા જેમણે પુરાતન સંસ્કૃતિને ઉજાગર કરી: પદ્મસાગર સૂરીશ્વરજી મહારાજ -
ગુજરાત પર એક સાથે ત્રણ સિસ્ટમ સક્રિય, આગામી 5 દિવસ માવઠા માટે તૈયાર રહો -
ગુજરાતમાં ગરમીના પ્રકોપ વચ્ચે માવઠાની આફત: 4 એપ્રિલ સુધી આ જિલ્લાઓમાં કમોસમી વરસાદની આગાહી -
સુરત મેટ્રોમાં મોટી સફળતા: 8.5 કિમી એલિવેટેડ કોરિડોર પર ટ્રાયલ રન શરૂ -
VerSe ઇનોવેશને પી.આર. રમેશની સ્વતંત્ર ડિરેક્ટર અને ઓડિટ સમિતિના અધ્યક્ષ તરીકે નિમણૂક કરી -
અમદાવાદ એરપોર્ટ પર મહિલા મુસાફર પાસેથી 83 લાખનું સોનું ઝડપાયું -
5 રાજ્યોની ચૂંટણી ભાજપ માટે સત્તાનો જંગ કે ભવિષ્યનો રોડમેપ?







Click it and Unblock the Notifications
