સુરતમાં દલિત પ્રકરણે પીએસઆઇ સામે હત્યાનો ગુનો નોંધાયો
સુરતના મોટીવેડમાં દલિત યુવાનના મોત પ્રકરણમાં પરિવારજનો મૃતદેહ લેવાની ચીમકી ભારે વિરોધ કર્યો હતો. જેના પ્રત્યાધાત સ્વરૂપે ચોકબજાર પોલીસે પીએસઆઇ વી.એસ.પટેલ વિરૂદ્ધ હત્યા તેમજ એટ્રોસિટીનો ગુનો નોંધ્યો છે. જે બાદ પરિવારજનોએ મૃતકનો કબ્જો સ્વીકાર્યો હતો.
નોંધનીય છે કે આ ઘટનામાં મોત પામેલા યુવાનનું પોસ્ટ મોર્ટમ પણ કરવામાં આવ્યું હતું જેની પ્રાથમિક તપાસમાં યુવકના પગના ભાગે ઇજા થયેલા નિશાન જોવા મળ્યા હતા. હવે એફએસએલ પણ આ તપાસમાં જોડાઈ છે ત્યારે એફએસએલ અને પોસ્ટ મોર્ટમના રિપોર્ટ જ આ વાતની પૃષ્ઠી કરી શકશે કે યુવકનું મોત પોલિસની મારના કારણે થયું હતું કે અન્ય કોઇ કારણે.

જો કે હાલ રાજ્યભરમાં ઉના દલિત પ્રકરણ મુદ્દે વિવિધ રેલી અને વિરોધ પ્રદર્શન થઇ રહ્યા છે. ત્યારે સુરત પ્રકરણના પણ ધેરા પ્રતિસાદ હાલ પડી રહ્યા છે. અને પોલિસ પ્રત્યે લોકોનો આક્રોશ પણ સ્પષ્ટ પણે દેખાઇ રહ્યો છે. ત્યાારે આ રિપોર્ટ આ કેસમાં કેવો વળાંક લાવે છે તે તો હવે જોવું જ રહ્યું.












Click it and Unblock the Notifications
