સુરતમાં પતંગના દોરાએ પરિવાર વિખેર્યો, માતા-પુત્રી અને જમાઈનું મોત
સુરતના ચંદ્રશેખર આઝાદ બ્રિજ પર ઉત્તરાયણના પર્વે સર્જાયેલા ગમખ્વાર અકસ્માતમાં એક હસતો-રમતો પરિવાર કાળનો કોળિયો બની ગયો છે.
પતંગની ઘાતક દોરીના કારણે બ્રિજ પરથી નીચે પટકાયેલા દંપતી અને તેમની માસૂમ પુત્રીનું કરુણ મૃત્યુ નિપજ્યું છે.

મળતી વિગતો અનુસાર, ઉત્તરાયણના દિવસે 35 વર્ષીય રેહાનભાઈ પોતાની પત્ની અને 7 વર્ષની વહાલી પુત્રી સાથે બાઇક પર સવાર થઈને પસાર થઈ રહ્યા હતા. આ દરમિયાન અચાનક પતંગની દોરી આડે આવતા બાઇક પરનો કાબૂ ગુમાવતા આખો પરિવાર 70 ફૂટ નીચે પટકાયો હતો.
આ ભયાનક દુર્ઘટનામાં પિતા રેહાન અને તેમની પુત્રીનું ઘટનાસ્થળે જ કમકમાટીભર્યું મોત થયું હતું, જ્યારે ગંભીર રીતે ઇજાગ્રસ્ત માતાને સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા.
હોસ્પિટલમાં જિંદગી અને મોત વચ્ચેની લડાઈ લડતા માતાએ પણ આખરે દમ તોડતા પરિવારનો માળો વિખેરાઈ ગયો છે.
અકસ્માત એટલો જોરદાર હતો કે બ્રિજ નીચે ઉભેલી રિક્ષા પર બાઇક પડતા રિક્ષાનો પણ કચ્ચરઘાણ વળી ગયો હતો, જેને જોઈને સ્થાનિકોમાં અરેરાટી વ્યાપી ગઈ હતી.
આ ઘટનાની જાણ થતા જ પોલીસ અને 108ની ટીમ દોડી આવી હતી અને તાત્કાલિક રાહત કામગીરી હાથ ધરી હતી.
ઉત્તરાયણના તહેવારમાં આ કરુણ સમાચાર મળતા જ સમગ્ર સુરત શહેરમાં શોકની લહેર પ્રસરી ગઈ છે અને લોકોમાં ઘેરા પ્રત્યાઘાતો પડી રહ્યા છે.
આ વર્ષે ગુજરાતમાં પતંગની દોરીના કારણે કુલ 9 લોકોએ જીવ ગુમાવ્યા હોવાના આંકડા સામે આવતા ચિંતા વધી છે.












Click it and Unblock the Notifications
