આ તે કેવું? 18 હજાર માળા ફેરવી તો દુષ્કર્મની સજા માફ?
ટોરેન્ટોના સ્વામીનારાયણ મંદિરના સાધુએ 30 વર્ષની મહિલા સાથે આચર્યું દુષ્કર્મ. પ્રાયશ્ચિત રૂપે બે મહિનામાં 18 હજાર માળા પૂરી કરતાં તેમને મંદિરમાં ફરી લેવામાં આવ્યા હતા.
સ્વામિનારાયણ સંપ્રદાયની એક ચોંકાવનારી ઘટના બહાર આવી છે. કેનેડા ના ટોરોન્ટો ખાતે આવેલા સ્વામિનારાયણ મંદિરના સાધુ સુજ્ઞેયદાસે એક ગુજરાતી યુવતી સાથે દુષ્કર્મ આચર્યું હતું. વડોદરા પાસે આવેલા હરિધામ સોખડા મંદિરના સુજ્ઞેય સ્વામી વિરુદ્ધ કેનેડાની ટોરોન્ટો પોલીસમાં ફરિયાદ નોંધાઇ છે. સુજ્ઞેય સ્વામી ટોરોન્ટો, કેનેડાની મુલાકાતે ગયા હતા ત્યારે તેમણે યુવતી સાથે દુષ્કર્મ આચર્યું હતું.

18 હજાર માળા પૂર્ણ કરતાં દુષ્કર્મ માફ?
યુવતીના પરિવાર દ્વારા સ્વામિનારાયણ મંદિરના અન્ય એક સંતને આ ઘટના અંગે ફરિયાદ કરતાં તે સાધુને મંદિરમાંથી કાઢી મુકવામાં આવ્યો હતો. જો કે, એ લંપટ સાધુએ પોતાના પાપ બદલ 2 મહિનાની અંદર 18 હજાર માળ પૂર્ણ કરતાં તેને ફરીથી મંદિરમાં લઇ લેવામાં આવ્યો છે, જેની સામે યુવતીના પરિવારજનોએ વિરોધ નોંધાવતા મામલો સામે આવ્યો છે.
યુવતીના પ્રેમમાં પડ્યા હતા સુજ્ઞેય સ્વામી
સુજ્ઞેય સ્વામી આ યુવતીના પ્રેમમાં પડ્યા હતા, તેમણે આ યુવતીને સ્વામી હરિપ્રસાદ સાથે દર્શનના બહાને મંદિરમાં બોલાવી હતી. યુવતી કેટલાક માનસિંક અશાંતિના પ્રશ્નોથી પીડાતી હતી, જેના ઉકેલ માટે તે સ્વામીને મળવા પહોંચી હતી. મંદિરમાં બોલાવ્યા બાદ સુજ્ઞેય સ્વામીએ પોતાના રૂમમાં લઇ જઇ યુવતી પર કર્યો બળાત્કાર કર્યો હતો. મામલો આટલેથી જ ન અટકતાં સુજ્ઞેય સ્વામી તે યુવતીને ફોન-મેસેજ કરી પણ હેરાન કરતા હતા. ડઘાઈ ગયેલી યુવતીએ 30 ડિસેમ્બર, 2016ના રોજ આ અંગે ટોરોન્ટો પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી. જો કે, ફરિયાદ નોંધાયા પહેલાં જ સ્વામીજી અમદાવાદ પરત ફરી ગયા હોવાથી હાલ ટોરોન્ટો પોલીસ આ મામલાની તપાસ કરી રહી છે.
પૂર્વાશ્રમનું નામ નીલકંઠ હસમુખ પટેલ
બીજી તરફ, આ સાધુ સુજ્ઞેય આણંદ જિલ્લાના આસોદર ગામના હોવાનું સામે આવતા ગામના લોકો ભારે અચંબામાં પડી ગયા છે, આ વાતને લઇ ગામના લોકોમાં રોષ પણ જોવા મળ્યો હતો. ગામના લોકો અનુસાર સાધુ સુજ્ઞેયનું પૂર્વાશ્રમનું નામ હતું નીલકંઠ હસમુખ પટેલ. લગભગ 20 વર્ષ પહેલાં જ્યારે નીલકંઠે દીક્ષા લીધી હતી ત્યારે ગામમાં ત્રણ દિવસનો ઉત્સવ ઉજવવામાં આવ્યો હતો.
-
Crude oil Price Hike: હોર્મુઝ પર ટ્રમ્પની ઘેરાબંધી થી ક્રૂડ ઓઈલની કિંમતમાં તેજ ઉછાળો, ભારતમાં ભાવ શું છે? -
રાજકોટ AIIMS માં સર્જરીના આંકડામાં ધરખમ ઉછાળો: વર્ષ 2025માં 1,900 થી વધુ ઓપરેશન સફળતાપૂર્વક સંપન્ન -
સોનિયા ગાંધીએ સરકારના સીમાંકન પ્રસ્તાવને બંધારણ પર ખતરનાક હુમલો ગણાવ્યો -
સુપરનેચરલ થ્રિલર સીરીઝ ‘FROM’ Season 4 ની વાપસી; જાણો આ સીઝનમાં શું-શું હશે? -
RCB vs MI: મુંબઈ ઈન્ડિયન્સની હારની હેટ્રિક -
સીમાંકન નહીં, મહિલા અનામત એ સાચો મુદ્દો છે: સોનિયા ગાંધી -
ક્યુબાના રાષ્ટ્રપતિ મિગુએલ ડિયાઝ-કેનેલે લશ્કરી કાર્યવાહી અને તેમને પદભ્રષ્ટ કરવાના પ્રયાસો સામે યુએસને ચેતવણી આપી -
"ગુજરાતીઓને મૂર્ખ સમજનારાઓને જનતા જડબાતોડ જવાબ આપશે": વડોદરાથી હર્ષ સંઘવીનો વિપક્ષ પર પ્રહાર -
ગુજરાત કોંગ્રેસે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી પહેલા પોલીસ પર ઉમેદવારોને ડરાવવાનો આરોપ લગાવ્યો -
લખતર-વિરમગામ રોડ પર ટ્રકે પદયાત્રીઓને કચડ્યા, 7 ના કરુણ મોત -
લેન્સેટના અભ્યાસમાં ચોંકાવનારો ખુલાસો, 2023માં 1.3 અબજ લોકો લિવરની બીમારીના શિકાર બન્યા -
ટ્રમ્પે પશ્ચિમ એશિયાના સંકટ અંગે પીએમ મોદીને અપડેટ કર્યા અને દ્વિપક્ષીય સંબંધોને મજબૂત બનાવ્યા






Click it and Unblock the Notifications
