ગુજરાત ચૂંટણીઃ જાણો ક્યાં-ક્યાં ખોટવાયા ઇવીએમ

સુરતના ઉધનાનામાં ઇવીએમ મશીન ખોટાવાયું હતું. ઉધનાના સમિતિ અંગ્રેજી માધ્યમ સ્કૂલમાં ઇવીએમ ખોટવાયું હતુ. આ ઇવીએમ ટેક્નિશીયનના કારણે ખોટવાયું હોવાનું બહાર આવ્યું છે.
જંબુસરના ટંકારીમાં ઇવીએમ મશીન ખોટવાયું છે. જ્યારેના વલસાડના પારડી અને પાનેરાની બેઠકના ઇવીએમ ખોટવાયા છે. અન્ય બેઠકોની વાત કરીએ તો ધોળકામાં -4, સાંણદમાં 4, ઘંધુકામાં 2, વિરમગામમાં 3 ઇવીએમ ખોટવાયા અને બદલવા પડ્યા છે.
પ્રથમ ચરણમાં કેટલાય દિગ્ગજોની કિસ્મત દાવ પર લાગેલી છે. નરેન્દ્ર મોદીના કટ્ટર વિરોધી કેશુભાઇ પટેલ, પ્રદેશ કોંગ્રેસ અધ્યક્ષ અર્જુન મોઢવાડિયા, વિધાનસભામાં વિપક્ષ નેતા શક્તિસિંહ ગોહિલ અને નરેન્દ્ર મોદીના દસ મંત્રીઓનો જનતા હિસાબ માંગશે. નાણાં મંત્રી વજુભાઇવાળા, કાયદા-કૃષિ મંત્રી દિલીપ સંઘાણી, મત્સ ઉદ્યોગ મંત્રી પુરૂષોત્તમ સોલંકી, વન મંત્રી મંગૂભાઇ પટેલની કિસ્મત આજે ઇમીએમમાં બંધ થઇ જશે.
પ્રથમ ચરણમાં 87 સીટો માટે યોજાનારી ચુંટણીમાં ભાજપે 87, કોંગ્રેસે 84, ગુજરાત પરિવર્તન પાર્ટીએ 83 એમ કુલ 846 ઉમેદવાર મેદાનમાં ઉતર્યા છે. અન્ય સ્વતંત્ર પક્ષના ઉમેદવારો પણ ચુંટણી લડી રહ્યાં છે. ભાજપ-કોંગ્રેસ બંને પ્રથમ ચરણમાં ધમાકેદાર જીતના દાવા કરી રહી છે.












Click it and Unblock the Notifications
