કામધેનુ યુનીવર્સીટીનો ૯મો પદવીદાન સમારોહ રાજ્યપાલ આચાર્ય દેવવ્રતના અધ્યક્ષસ્થાને યોજાશે
ગુજરાત સરકાર દ્વારા સંચાલિત કામધેનુ યુનીવર્સીટી-ગાંધીનગરનો નવમો પદવીદાન સમારોહ રાજ્યપાલ આચાર્ય દેવવ્રતના અધ્યક્ષસ્થાને આગામી તા. ૫ જૂન, ૨૦૨૩ના રોજ ગુજરાત નેશનલ લો યુનીવર્સીટી-ગાંધીનગર ખાતે યોજાશે. આ પદવીદાન સમારોહમાં કેન્દ્રીય પશુપાલન અને ડેરી ઉદ્યોગ મંત્રી પરસોત્તમભાઈ રૂપાલા અને ગુજરાતના પશુપાલન મંત્રી રાઘવજીભાઈ પટેલ ઉપસ્થિત રહેશે. આ સમારોહ દરમિયાન ઉપસ્થિત મહાનુભાવો વિદ્યાર્થીઓને તેમના ભવિષ્ય માટે યોગ્ય માર્ગદર્શન અને આશીર્વચન આપશે.

આ પદવીદાન સમારોહમાં કામધેનુ યુનીવર્સીટીની વિવિધ વિદ્યાશાખામાં અભ્યાસ કરતા સ્નાતક કક્ષાના ૪૯૯, અનુસ્નાતક કક્ષાના ૧૪૫ અને પી.એચ.ડી.ના ૨૬ વિદ્યાર્થીઓને મળી કુલ ૬૭૦ જેટલા વિદ્યાર્થીઓને પદવી એનાયત કરવામાં આવશે. આ ઉપરાંત સ્નાતક કક્ષાના વિવિધ અભ્યાસક્રમોમાં અભ્યાસ કરતા ૧૨૧ અને અનુસ્નાતક કક્ષામાં અભ્યાસ કરતા ૩૪ તેજસ્વી વિદ્યાર્થીઓને મેડલ આપી, તેમજ ૧૪ વિદ્યાર્થીઓને રોકડ પુરસ્કાર આપી સન્માનિત કરવામાં આવશે.
-
Gold Rate Today: સોનાના ભાવમાં મામૂલી ઉછાળો, જાણો લેટેસ્ટ કિંમત -
ગુજરાતમાં ફરી આફતનુ માવઠું, 28 થી 30 માર્ચ દરમિયાન કમોસમી વરસાદની આગાહી -
ગુજરાતમાં ગરમીનો પારો વધ્યો, સૌથી વધુ ગરમી વડોદરા અને અમરેલીમાં નોંધાઈ, જાણો હવામાન વિભાગની આગાહી -
ભારતને ઈરાનનો મોટો પ્રસ્તાવ, ક્રૂડ ઓઈલ અને ગેસ સપ્લાયની ઓફર -
સોના-ચાંદીના ભાવમાં ફરી મોટો ઘટાડો, જાણો આજના લેટેસ્ટ રેટ -
અમેરિકાના ટેક્સાસમાં વેલેરો રિફાઇનરીમાં વિસ્ફોટ થતા હંગામાનો માહોલ -
ગુજરાતમાં આજથી ચણા-રાયડાની ટેકાના ભાવે ખરીદી શરૂ, 2.96 લાખ ખેડૂતોને ફાયદો થશે -
સોના-ચાંદીના ભાવમાં મોટો કડાકો, જાણો આજના તાજા ભાવ -
ગુજરાતમાં પેટ્રોલની અછત હોવાની વાત ફેલાતા હંગામો, જાણો સરકારે શું કહ્યું? -
પીએમ નરેન્દ્ર મોદીએ ગેસ સંકટ મુદ્દે મૌન તોડ્યુ, જાણો શું કહ્યું? -
સ્થાનિક સ્વરાજની ચૂંટણી માંટે AAP એ 460 ઉમેદવારોની પ્રથમ યાદી જાહેર કરી -
ગુજરાતમાં બીજા દિવસે પણ પેટ્રોલ-ડીઝલને લઈને હંગામો યથાવત, લાંબી લાઈનો લાગી









Click it and Unblock the Notifications
