અમિત શાહના સબક શીખવાડવા વાળા નિવેદનને ચૂંટણી પંચે ક્લિન ચીટ આપી
ગુજરાતમાં આ વખતે હિન્દુ-મુસ્લિમનો મુદ્દો છવાયેલો રહ્યો હતો ત્યારે અમિત શાહે વિવાદાસ્પદ નિવેદન આપી વિવાદ છેડ્યો હતો.
ગાંધીનગર : આ વખતે ગુજરાત વિધાનસભા ચૂંટણીમાં ફરી એક વખત 2002 અને ગોધરા કાંડનો ઉલ્લેખ થયો હતો. અમિત શાહે આડકતરી રીતે કહ્યું હતું કે, 2002માં એમને (મુસ્લિમો) સબક શીખવાડી દીધુ હતું. હવે ગુજરાતમાં શાંતિ બરકરાર છે. જેને લઈને વિવાદ થયો હતો અને તેને મુસ્લિમો સાથે જોડીને જોવામાં આવ્યુ અને ઈલેક્શન કમિશનને ફરીયાદ કરાઈ હતી. ફરિયાદીએ આ મામલાને આચારસંહિતાનો ભંગ ગણાવતા ફરીયાદ નોંધાવી હતી. હવે ચૂંટણી કમિશને આ મામલે અમિત શાહને ક્લિન ચીટ આપે છે.

આ વખતે ચૂંટણીમાં હિન્દુ-મુસ્લિમનો મુદ્દો છવાયેલો રહ્યો ત્યારે અમિત શાહે કહ્યું હતું કે, 2002ના તોફાનીઓને પાઠ ભણાવાયો છે. આ મુદ્દે નિવૃત્ત વહીવટી અધિકારી EAS શર્માએ અમિત શાહના આ નિવેદન સામે ચૂંટણી પંચને લેખિત ફરિયાદ કરી હતી. તેમણે આરોપ લગાવ્યો કે આ નિવેદન આદર્શ આચાર સંહિતાનું ઉલ્લંઘન કરે છે. સૂત્રો અનુસાર, ફરિયાદ બાદ તપાસનો રિપોર્ટ ગુજરાતના મુખ્ય ચૂંટણી અધિકારી પાસેથી મંગાવવામાં આવ્યો હતો. ચૂંટણી પંચે પોતાના તપાસ રિપોર્ટમાં કહ્યું છે કે ગૃહમંત્રીએ પોતાના નિવેદનમાં કોઈ ખાસ સમુદાય માટે નહીં પણ બદમાશોને પાઠ ભણાવવાની વાત કરી હતી.
જો કે બીજી તરફ ફરિયાદી ઈએએસ શર્માએ કહ્યું કે, આજ સુધી મને મારી ફરિયાદનો કોઈ જવાબ મળ્યો નથી. ચૂંટણી પંચે નિર્ણય જાહેર કરવો જોઈએ. ચૂંટણી પંચે આ નિર્ણયને તેની વેબસાઈટ પર જાહેર કરવો જોઈએ. અહીં તમને જણાવી દઈએ કે ગુજરાત અને હિમાચલ પ્રદેશ વિધાનસભા ચૂંટણીના પરિણામો 8 ડિસેમ્બરે જાહેર થઈ ગયા છે. ગુજરાતમાં બીજેપી તો હિમાચલ પ્રદેશમાં કોંગ્રેસે સત્તા મેળવી છે.












Click it and Unblock the Notifications
