લોકસભાની ચૂંટણીમાં ભાજપની નજર યુવા મતદારો પર, મતદાન ચેતના અભિયાનનો પ્રરંભ થશે
ભારતીય જનતા પાર્ટી દ્વારા નવા મતદારોને મતદાર યાદીમાં જોડવા તેમજ મતદાર યાદીની ચકાસણી માટે સમગ્ર દેશમાં 'મતદાતા ચેતના અભિયાન' શરૂ થનાર છે. આ અભિયાન અંતર્ગત પ્રદેશ કાર્યાલય ' કમલમ્', ગાંધીનગર ખાતે 'પ્રદેશ કાર્યશાળા' યોજાઈ.

રાજ્યના દરેક જિલ્લામાં યુવા મતદારોને આકર્ષવા તેમજ ભારતીય જનતા પાર્ટીમાં જોડાય તે માટે શુ કરી શકાય તે અંગેનું વર્કશોપનું આયોજન કરીને પાર્ટી કાર્યકર્તાને તાલિમ આપવામાં આવશે.
ભાજપ દ્વારા લોકસભા સામાન્ય ચૂંટણી 2024 ની તૈયારીમાં લાગી ગઇ છે. તેના ભાગ રુપે પાર્ટીના કાર્યકર્તાઓના વર્કશોપ તેમજ વિવિધ સેલના કાર્યકરતાઓ સાથે બેઠકનો દોર કમલમમાં ચાલુ થઇ ગયો છે.
આ કાર્યશાળામાં રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ મતી રેખા વર્માજી, કેન્દ્રીય રાજ્યમંત્રી દેવુસિંહ ચૌહાણ, પ્રદેશ સંગઠન મહામંત્રી રત્નાકરજી, પ્રદેશ ઉપાધ્યક્ષ ગોરધનભાઈ ઝડફીયા, પ્રદેશ મહામંત્રી રજનીભાઈ પટેલ, વિનોદભાઈ ચાવડા સહિત હોદ્દેદારો અને કાર્યકર્તાઓ વિશેષ ઉપસ્થિત રહ્યાં.












Click it and Unblock the Notifications
