સુરેન્દ્રનગરઃ ખજાનો લૂંટવાની લાલચે 1200 વર્ષ જૂના મંદિરમાં ચોરી કરવા ઘૂસ્યા ચોર
સુરેન્દ્રનગરઃ ખજાનો લૂંટવાની લાલચે 1200 વર્ષ જૂના મંદિરમાં ચોરી કરવા ઘૂસ્યા ચોર
સુરેન્દ્રનગર જિલ્લાના થાનગઢમાં આવેલ એક 1200 વર્ષ જૂનાં મંદિરમાં ખજાનો છૂપાયેલો હોવાની અફવા સાંફળી ચોરોએ મંદિરમાં ઘૂસીને ખોદકામ કર્યું. શિવમંદિરમાં ચોરોએ ખજાનો લૂંટવાની લાલચાએ ખોદકામ કર્યું હોવાની માહિતી મળતાં જ પોલીસ પણ ઘટના સ્થળે દોડી આવી હતી.

થાનગઢ પોલીસ ઈન્સપેક્ટર એમડી ચૌધરીએ જમાવ્યું કે આ પ્રાચીન મંદિરમાં વધુ લોકો આવતા નથી, તે એક સંરક્ષિત સ્મારક છે અને પહેલેથી જ એક વિનાશની સ્થિતિમાં છે.
વધુમાં પોલીસ અધિકારીએ જણાવ્યું કે મંદિરમાંથી કંઈ ચોરી નથી થયું, મંદિરમાં ખજાનો છૂપાયેલો હોવાની અફવાને પગલે ચોરોએ મંદિર પરિસરમાં ઘૂસીને ખોદકામ કર્યું હોય શકે છે. ગ્રામજનોની મદદથી મૂર્તિને તેના મૂળ સ્થાને મૂકવામાં આવી. આ મામલે કોઈપણ સત્તાવાર ફરિયાદ નોંધવામાં આવી નથી.
ગુરુવારે સ્થાનિકોએ મંદિરમાં બે ખાડા ખોદેલા હોવાની પોલીસને સૂચના આપી હતી. પોલીસ અધિકારીએ જણાવ્યું કે, '1200 વર્ષ જૂનું આ મંદિર જામવાડી ગામની બાજુમાં આવેલું છે. ખજાનાની શોધમાં કોઈએ શિવલિંગને તેના મૂળ સ્થાનેથી દૂર કર્યા બાદ કોઈએ પ્રથમ ગર્ભસ્થાનની અંદર એક ફીટ ઉંડો ખાડો ખોદ્યો હતો. આરોપીઓએ શિવલિંગને કાળજીપૂર્વક ખંડીત ન થાય તેવી રીતે દિવાલ નજીક મૂકી દીધી હતી.'
આરોપીઓએ નંદીને હટાવીને તેના સ્થાને પણ 3થી 4 ફીટ ઉંડો ખાડો ખોદ્યો હતો.
ઉલ્લેખનીય છે કે ચોરોએ મૂર્તિ હટાવતા પહેલાં તેના પર ફૂલો ચડાવ્યાં હતાં અને મૂર્તિને કોઈપણ પ્રકારે ખંડિત નહોતી થવા દીધી.
-
Gujarat Weather: હવે કમોસમી વરસાદની શક્યતા નહિવત, આગામી દિવસોમાં વધશે ગરમી, જાણો હવામાન વિભાગની આગાહી -
Middle East Crisis: PM મોદી એક્શન મોડમાં, ક્રૂડ ઓઈલ, ગેસ અને ફર્ટિલાઈઝરની સપ્લાય પર મોટો નિર્ણય! -
ગુજરાતના હાઈવે પર હવે નહીં લાગે લાઈનો, વધુ 24 ટોલ પ્લાઝા બનશે બેરિયર-લેસ -
Flight Fare: સરકારે ફ્લાઈટના ભાડા પરથી હટાવ્યું નિયંત્રણ, એરલાઈન્સને મળી ખુલ્લી છૂટ, શું વધશે ટિકિટના ભાવ? -
સોના-ચાંદીના ભાવમાં મોટો કડાકો, જાણો આજના તાજા ભાવ -
VerSe Innovation : નફાકારકતા અને AI તરફ મજબૂત ડગલુ, ભવિષ્યમાં IPO લાવવાની યોજના -
IPL 2026: કઈ ટીમનું નેતૃત્વ કોણ કરશે? ઈશાન કિશનથી લઈને ઋતુરાજ સુધીના તમામ કેપ્ટનોની યાદી, જાણો -
અમેરિકાના ટેક્સાસમાં વેલેરો રિફાઇનરીમાં વિસ્ફોટ થતા હંગામાનો માહોલ -
Weather News: યુપી-એમપી-બિહાર સહિત 8 રાજ્યોમાં ભારે વરસાદનો કહેર, જાણો હવામાન વિભાગની આગાહી -
Flight tickets: પેટ્રોલ-LPG પછી હવે મોંઘી થશે હવાઈ મુસાફરી? ઉડ્ડયન મંત્રીએ આપ્યો આ જવાબ -
ગુજરાતમાં આજથી ચણા-રાયડાની ટેકાના ભાવે ખરીદી શરૂ, 2.96 લાખ ખેડૂતોને ફાયદો થશે -
ગુજરાતમાં પેટ્રોલની અછત હોવાની વાત ફેલાતા હંગામો, જાણો સરકારે શું કહ્યું?










Click it and Unblock the Notifications
