For Quick Alerts
For Daily Alerts
જેલમાં સુરંગ ખોદનારા કેદીઓ માટે લેવાયા ટ્રાન્સફર વોરંટ
ઉલ્લેખનીય છે કે આ તમામ 14 આરોપિઓ પર આ મહિનાની શરૂઆતમાં સાબરમતી જેલમાંથી ફરાર થવાના ઇરાદે સુરંગ ખોદવાનો આરોપ છે. જોકે તેઓ પોતાના બદઇરાદામાં સફળ થાય એ પહેલા તેમનો ભાંડો ફૂટી ગયો હતો.
અમદાવાદ શહેરના મુખ્ય જાહેર પ્રોસિક્યુટર સુધીર બ્રહ્મભટ્ટે જણાવ્યું કે 'ક્રાઇમ બ્રાંચે વિસ્ફોટના એ તમામ 14 આરોપીઓ સામે ટ્રાન્સફર વોરંટ મેળવી લીધું છે. જેમની સામે જેલમાં સુરાંગ બનાવી ભાગી જવાનો કેસ દાખલ કરવામાં આવ્યો છે.'
બ્રહ્મભટ્ટે જણાવ્યું કે તેમની કસ્ટડી લેવામાં માટે આવતીકાલે તેમને કોર્ટમાં હાજર કરવામાં આવશે. અને આ કેસમાં વધુ તપાસ હાથ ધરવામાં આવશે. અત્રે ઉલ્લેખનીય છે જેલમાં સુરંગ બનાવનારાઓની કડી હૈદરાબાદ બ્લાસ્ટ સાથે પણ જોડીને તપાસ હાથ ધરવામાં આવી રહી છે.
Comments
chief public prosecutor sudhir brahmbhat transfer warant sabarmati jail gujarat tunnel ગુજરાત બોમ્બ બ્લાસ્ટ ગુજરાત પોલીસ ટ્રાંસફર વોરન્ટ
English summary
Chief Public Prosecutor Sudhir Brahmbhat got transfer warant for Sabarmati jail tunnel probe.
Story first published: Wednesday, February 27, 2013, 17:50 [IST]