ગોંડલમાં સૂકાયેલ વૃક્ષને પુનર્જીવિત કરાયા
જાહેર રોડ પર સૂકાઇ ગયેલ વૃક્ષને ફરીથી રંગોના સથવારે નવપલ્લવિત કરી ગોંડલ શહેરના મૃત વૃક્ષોને જીવંત કરવાના સુંદર કાર્યનો શુભારંભ કરવામાં આવેલ છે...
સાહિત્ય વર્તુળ અને ઇન્ડિયન મેડિકલ એસોસિએશન તથા ગોંડલના કલાકારો દ્વારા જાહેર રોડ પર સૂકાઇ ગયેલ વૃક્ષને ફરીથી રંગોના સથવારે મનમોહક રીતે નવપલ્લવિત કરી ગોંડલ શહેરના મૃત વૃક્ષોને જીવંત કરવાની ઉમદા પહેલ કરીને ગામની શોભામાં અભિવૃદ્ધિ કરવાના સુંદર કાર્યનો શુભારંભ કરવામાં આવેલ છે.

મુખ્ય માર્ગો પર સૂકાઈ ગયેલ 10 જેટલા વૃક્ષો રંગોથી શણગારવામાં આવી રહેલ છે. આ ઉમદા કામને સાકાર કરવામાં હિતેશભાઈ દવે, ડો.દિપક લંગાલિયા, ડો.દિપક વડોદરિયા, આર્ટીસ્ટ મુનિર બુખારી, કિશોર સોલંકી, ભરતભાઈ તલસાણીયા, પ્રતિક્ષાબેન વગેરે જહેમત ઉઠાવી સહકાર આપ્યો છે.












Click it and Unblock the Notifications
