BTPના બંને ધારાસભ્યોએ મતદાનનો બહિષ્કાર કર્યો, કહ્યું- અમારાં કામ નથી થયાં
BTPના બંને ધારાસભ્યોએ મતદાનનો બહિષ્કાર કર્યો, કહ્યું- અમારાં કામ નથી થયાં
ગુજરાતમાં રાજ્યસભાની 4 સીટ પર આજે મતદાન થયું. કોંગ્રેસના 2 અને ભાજપના 3 ઉમેદવારો ચૂંટણી મેદાનમાં ઉભા હતા. ભાજપે 3 સીટ જીતવા માટે એડીચોટીનું જોર લગાવી દીધું જ્યારે કોંગ્રેસ બે સીટ માંડ જીતી શકે તેમ હતી ત્યાં બીટીવીના છોટૂભાઇ વસાવા અને તેમના પુત્ર મહેશ વાસાવાએ મતદાન ના કરવાનું નક્કી કરી લીધું. ચૂંટણી પહેલા જ બીટીપીના નેતાઓએ કહ્યું હતું કે જ્યાં સુધી પ્રવાસીઓ, આદિવાસીઓ અને દલિતોના કલ્યાણના કામ થશે તેવું લેખિતમાં અમને આશ્વાસન આપવામાં નહિ આવે ત્યાં સુધી અમે મતદાન નહિ કરીએ.

ત્યારે ભાજપ અને કોંગ્રેસ બંને તરફથી છોટૂભાઇ વસાવાને મનાવવાનો પ્રયત્ન કરવામાં આવ્યો હતો પરંતુ આખરે છોટૂભાઇ વસાવાએ જણાવી દીધું કે તેઓ હવે મતદાન નહિ કરે. છોટૂભાઇ વસાવાએ કહ્યું કે બંને પક્ષોએ અમારો સંપર્ક કર્યો હતો, જ્યાં જરૂર પડશે ત્યાં અમે આંદોલન પણ કરશું. હવે અમે મતદાન નહિ કરીએ. અમારાં કામ નથી થયાં.
જણાવી દઇએ કે માંગણીઓ ના સંતોષાતાં BTPએ મતદાનના બહિષ્કાર કરવાનોનો નિર્ણય લીધો છે. બીટીપીએ મતદાન ના કરતાં ભાજપને આડકતરી રીતે ફયદો થયો છે. ભાજપના અભય ભારદ્વાજ અને રમીલાબેન બારાની જીત તો ફાઇનલ જ હતી પણ ત્રીજા ઉમેદવાર નરહરી અમીનને પણ ચૂંટણી મેદાનમાં ઉતાર્યા હતા, જેમને ઉમેદવાર બનાવવા પાછળનો ઉદ્દેશ્ય કોંગ્રેસી ધારાસભ્યોના ક્રોસ વોટિંગ કરાવવાનો હતો. જો કે છોટૂભાઇ વસાવા અને મહેશ વાસાવાએ મતદાનનો બહિષ્કાર કરતાં નરહરી અમીનની પણ જીત નિશ્ચિત થઇ ગઇ છે. કોંગ્રેસના બીટીપીના ધારાસભ્યોના આ નિર્ણયથી કોંગ્રેસના ભરતસિંહ સોલંહીને જબરો ઝાટકો લાગ્યો છે, તેમની હાર નક્કી છે.
-
Crude oil Price Hike: હોર્મુઝ પર ટ્રમ્પની ઘેરાબંધી થી ક્રૂડ ઓઈલની કિંમતમાં તેજ ઉછાળો, ભારતમાં ભાવ શું છે? -
રાજકોટ AIIMS માં સર્જરીના આંકડામાં ધરખમ ઉછાળો: વર્ષ 2025માં 1,900 થી વધુ ઓપરેશન સફળતાપૂર્વક સંપન્ન -
સોનિયા ગાંધીએ સરકારના સીમાંકન પ્રસ્તાવને બંધારણ પર ખતરનાક હુમલો ગણાવ્યો -
સુપરનેચરલ થ્રિલર સીરીઝ ‘FROM’ Season 4 ની વાપસી; જાણો આ સીઝનમાં શું-શું હશે? -
RCB vs MI: મુંબઈ ઈન્ડિયન્સની હારની હેટ્રિક -
સીમાંકન નહીં, મહિલા અનામત એ સાચો મુદ્દો છે: સોનિયા ગાંધી -
ક્યુબાના રાષ્ટ્રપતિ મિગુએલ ડિયાઝ-કેનેલે લશ્કરી કાર્યવાહી અને તેમને પદભ્રષ્ટ કરવાના પ્રયાસો સામે યુએસને ચેતવણી આપી -
"ગુજરાતીઓને મૂર્ખ સમજનારાઓને જનતા જડબાતોડ જવાબ આપશે": વડોદરાથી હર્ષ સંઘવીનો વિપક્ષ પર પ્રહાર -
યુએસ-ઈરાન વાટાઘાટો: અમેરિકા અને ઈરાન વચ્ચે કેમ વાત ન બની? હોર્મુઝથી ન્યૂક્લિયર સુધી, આ 5 કારણોએ શાંતિનો માર્ગ -
CSK vs DC: મેદાન પર અમ્પાયર સાથે બાખડ્યો નીતીશ રાણા! ચેપોકમાં મેચની વચ્ચે સર્જાયું જોરદાર હાઈ-વોલ્ટેજ ડ્રામા -
લખતર-વિરમગામ રોડ પર ટ્રકે પદયાત્રીઓને કચડ્યા, 7 ના કરુણ મોત -
યુ.એસ. ઈરાન વાટાઘાટો નિષ્ફળ થયા બાદ તેલના ભાવ વધ્યા








Click it and Unblock the Notifications
