ગુજરાતમાં કોરોનાની એન્ટ્રી, સુરત અને રાજકોટમાં એક-એક કેસ પોજિટિવ
ગુજરાતમાં કોરોનાની એન્ટ્રી, સુરત અને રાજકોટમાં એક-એક કેસ પોજિટિવ
ગાંધીનગરઃ દેશભરમાં હાહાકાર મચાવનાર કોરોનાવાઈરસ ગુજરાતમાં પ્રવેશી ચૂક્યો છે. ગુજરાતમાં આજે બે કેસ પોજિટિવ નોંધાયા છે. ગુજરાત હેલ્થ એન્ડ ફેમિલિ વેલ્ફેર ડિપાર્ટમેન્ટ દ્વારા આપવામાં આવેલી જાણકારી મુજબ સુરત અને રાજકોટના વ્યક્તિમાં Covid-19ના ટેસ્ટ પોજિટિવ આવ્યા છે.

જણાવી દઈએ કે જંગલેશ્વરમાં રહેતા 43 વર્ષીય યુવાન મક્કા મદીના ગયો હતો અને ત્યાંથી તે ચાર દિવસ પહેલા જ રાજકોટ આવ્ય હતો અને રાજકોટ આવ્યા બાદ તેને શરદીની તકલીફ થતાં મંગળવારે સાંજે સિવિલ હોસ્પિટલે ખસેડવામાં આવ્યો હતો. કોરોનાની શંકાએ તેના લોહી, કફના નમૂના જામનગર લેબોરેટરી ખાતે મોકલાયા હતા અને કોરોનાની શંકા દ્રઢ બનાં પુણેની લેબમાં સેમ્પલ મોકલાયા હતા.
રાજયના આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલયે ટ્વીટ કરીને આ અંગે જાણકારી આપતા જણાવ્યું કે પોજિટિવ નોંધાયેલા દર્દીઓના સંપર્કમાં આવેલા લોકોને કવોરન્ટાઇન કરવામાં આવ્યા છે. કુલ 17 લોકોને કવોરન્ટાઇન કરાયા છે. હજી સિવિલ હોસ્પિટલમાં 76 લોકો ઓબ્ઝર્વેશન હેઠળ છે.












Click it and Unblock the Notifications
