Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

રાજ્યના 20 જિલ્લામાં સિચાઇ હેઠળ આવરી લેતા 45 હજાર ખેડુતોને થશે લાભ

રાજ્યના ૨૦ જિલ્લાના વધુ ૧૦૫ તાલુકાના અંદાજે ૫૪૨ ગામોના ૬૭,૦૧૫ એકર વિસ્તારમાં અંદાજિત ૪૫,૦૫૦ ખેડૂતોને પ્રત્યક્ષ તથા પરોક્ષ રીતે ખેતી માટે સિંચાઇ સહિત અન્ય લાભો આપીને મુખ્યમંત્રી ભૂપેન્‍દ્રભાઇ પટેલની નેતૃત્વવાળી સરકારે સિંચાઈ ક્ષેત્રે વધુ એક સિદ્ધિ મેળવી છે.

Bhupendra patel

જળ સંપત્તિ વિભાગ દ્વારા પ્રથમ તબક્કામાં નક્કી કરાયેલા ૨૦ જિલ્લાઓમાં ૧૬૯માંથી ૧૩૦ કામો પૂર્ણ કરાયા છે. જેમાં પાટણ, બનાસકાંઠા, મહેસાણા, ગાંધીનગર, અરવલ્લી, આણંદ, ખેડા, છોટા ઉદેપુર, દાહોદ, નર્મદા, પંચમહાલ, ડાંગ, તાપી, સુરત, નવસારી, વલસાડ, જામનગર, રાજકોટ, કચ્છ અને વડોદરાનો સમાવેશ થાય છે, તેમ જળ સંપત્તિ મંત્રી કુંવરજીભાઇ બાવળીયાએ જણાવ્યું હતું.

મંત્રીએ જળ સંપત્તિ હેઠળ ગુજરાતમાં કાર્યરત કામોની વધુ વિગતો આપતાં જણાવ્યું હતું કે, ચાલુ વર્ષના બજેટમાં જળ સંપત્તિ વિભાગ હેઠળ કુલ રૂ. ૯,૭૦૫ કરોડની માતબર રકમની જોગવાઇ કરવામાં આવી છે. હાલ ૧૦૦ દિવસના લક્ષ્યાંક અંતર્ગત રૂ. ૩,૩૦૬ કરોડના ૨૪૨ કામો મંજૂરીની પ્રક્રિયા હેઠળ છે. આ કામો પૂર્ણ થવાથી રાજ્યના ૩૧ જિલ્લાના વધુ ૧૧૦ તાલુકાના અંદાજિત ૩૫૬ ગામોનો ૧,૩૪,૨૫૦ એકર વિસ્તાર સિંચાઇ હેઠળ આવરી લઇને અંદાજિત ૬૯,૭૪૭ ખેડૂતોને પ્રત્યક્ષ તથા પરોક્ષ રીતે સિંચાઇ સહિત અન્ય લાભો મળશે.

આ જિલ્લાઓમાં અમદાવાદ, પાટણ, બનાસકાંઠા, મહેસાણા, ગાંધીનગર, પાલનપુર, આણંદ, ખેડા, પંચમહાલ, ભરૂચ, મહિસાગર, સાબરકાંઠા, ડાંગ, તાપી, નર્મદા, નવસારી, સુરત, ગીર સોમનાથ, જામનગર, જુનાગઢ, દેવભૂમિ દ્વારકા, પોરબંદર, બોટાદ, ભાવનગર, મોરબી, રાજકોટ, સુરેન્દ્રનગર, કચ્છ, છોટા ઉદેપુર, દાહોદ અને વડોદરાનો સમાવેશ થાય છે તેમ મંત્રીએ ઉમેર્યું હતું.

જળ સંપત્તિ મંત્રી વધુ વિગતો આપતા કહ્યું હતું કે, ખેડૂતોને સિંચાઇનો લાભ મળી રહે તે માટે નાના-મોટા ચેકડેમ, રિચાર્જ પાતાળ કૂવા, બંધારા,નાની-મોટી ઉદવહન યોજના, દરિયાઈ ધોવાણ અને પુર સંરક્ષણના કામો, કેનાલ અને કેનાલ સ્ટ્રક્ચર તથા અન્ય મરામતના કામો, હયાત ઉદવહન સિંચાઇ યોજનામાં પાઇપલાઇન વડે ગામ-સીમ વગેરેના તળાવો ભરવા જેવા કામો કરવામાં આવ્યા છે.

મંત્રીએ સિંચાઇ વિભાગ દ્વારા કરાયેલા કામોથી ખેડૂતોને સિંચાઇ માટે થતા ફાયદા અંગે કહ્યું હતું કે, સિંચાઇ વિસ્તારમાં વધારો/સુદ્દઢીકરણ, ભૂગર્ભ જળની ગુણવતામાં સુધારો-સ્તર ઊંચા આવશે, દરીયાઇ વિસ્તારના પ્રદેશોમાં ખારાશમાં ધટાડો થશે, નહેરમાંથી થતા સીપેજ તથા લીકેજ બંધ થશે અને પાણીનો બગાડ અટકશે. આ ઉપરાંત પાણીનો બગાડ અટકવાથી પાણીની બચત થશે, છેવાડાના ખેડૂતોને સિંચાઇ માટેનું વધુ પાણી મળશે, ખેડૂતોની આર્થિક સ્થિતિમાં સુધારા થવાથી ખેડુતોનું જીવન સ્તર ઉંચુ આવશે જ્યારે પાણી વિતરણ વ્યવસ્થા સરળ અને સુદ્રઢ બનશે તેમ મંત્રીએ ઉમર્યું હતું.

મંત્રીએ કહ્યું હતું કે, જીવન અને પર્યાવરણ બંને માટે જળ આવશ્યક તત્વ છે. ઉપલબ્ધ પાણીના સ્ત્રોતોનો કાર્યક્ષમ ઉપયોગ કરવા, તેનો સંગ્રહ તથા તે પાણીને ડેમથી ખેતરો અને ઘરો સુધી પહોચાડવાનું સુદ્રઢ માળખું તત્કાલીન મુખ્યમંત્રી અને વડાપ્રધાન નરેન્‍દ્રભાઇ મોદીના નેતૃત્વમાં ગુજરાતમાં ઊભું કરવામાં આવ્યું છે.

સિંચાઈ યોજનાઓની કાર્યક્ષમતામાં વધારો કરવા અને પાણીની અછતવાળા વિસ્તારોમાં સિંચાઈ સુવિધા વધારવા નવી માળખાકીય સુવિધાઓ ઊભી કરવા માટે પણ સરકાર સતત કાર્યરત છે. ક્ષાર પ્રવેશ નિયંત્રણ તેમજ ભૂગર્ભજળની પરિસ્થિતિમાં સુધારો કરવા માટે રાજ્યમાં વિવિધ યોજનાઓ અમલી બનાવી છે. કૃષિ અને પીવાના પાણી માટે જળસંસાધનોની અગત્યતા ધ્યાને લેતાં આ જળ સંપત્તિના બજેટમાં ગત વર્ષની સરખામણીમાં આ વર્ષે ૮૨ ટકાનો વધારો કર્યો છે જેથી છેવાડાના ખેડૂતને સિંચાઇનો મહત્તમ લાભ મળી રહેશે.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X