પુનઃવસન કરવાથી મોદી સરકાર દોષમુક્ત થતી નથીઃ બ્રિટન અખબાર

narendra modi
લંડન, 16 ઑક્ટોબરઃગુજરાત અને તેના મુખ્યપ્રધાન નરેન્દ્ર મોદી પ્રત્યે કુણુ વલણ દાખવીને સંબંધો સુધારનાર બ્રિટન અને અન્ય દેશોએ એ વાતને સ્પષ્ટ કરી દેવી જોઇએ કે રમખાણગ્રસ્તોના પુનઃવસન કરવાથી મોદી સરકાર દોષમુક્ત થતી નથી અને તેને સર્વોચ્ચ રાષ્ટ્રવાદનું લાઇસન્સ નથી મળી જતું જેના લીધે 2002ના રમખાણો થયાં હતા.

બ્રિટનના અખબાર ધ ફાઇનાનસિયલ ટાઇમ્સે તેના તંત્રી લેખમાં લખ્યું છે કે મોદી સાથે બ્રિટનનું સંબંધ સુધારવાનું પગલું પ્રશ્નો ઉભા કરે તેવું છે. ગુજરાતમાં ડિસેમ્બરમાં ચૂંટણી યોજાઇ રહી છે ત્યારે બ્રિટન દ્વારા આ પ્રકારનો નિર્ણય લેવામાં આવ્યો છે.

આ ચૂંટણીમાં મોદી વિજયી થાય તેવી શક્યતાઓ છે. આંતરરાષ્ટ્રીય સ્તરે જ્યારે મોદીની સ્વીકૃતિ વધી છે ત્યારે તેમને બહુમતિ પણ મળી શકે છે. અને 2014માં લોકસભાની ચૂંટણીમાં વડાપ્રધાનપદના ઉમેદવાર માટે તેમની દાવેદારી પહેલા કરતા વધારે મજબૂત બની જાય છે.

તંત્રીલેખમાં વધુમાં જણાવવામાં આવ્યું હતું કે મોદી જે રાજ્યના મુખ્યમંત્રી છે એ ગુજરાત રાજ્ય ભારતના અન્ય રાજ્યો કરતા વધુ ઉત્સાહી અને બિઝનેસ ફ્રેન્ડલી રાજ્ય છે, પરંતુ આ હિન્દુ રાષ્ટ્રવાદી નેતા પર ગુજરાત રમખાણોનો આરોપ છે અને આંતરાષ્ટ્રીય સમૂદાય દ્વારા તેમના પર 10 વર્ષનો પ્રતિબંધ મુકાયો હતો, તેમણે ક્યારેય આ હત્યાઓ અંગે માફી માંગી નથી અને અફસોસ પણ વ્યક્ત કર્યો નથી.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X