વડોદરા ચિત્ર વિવાદ : ચિત્રો પર કાલિખ ચોપડવામાં આવી

અપડેટ : 2.30 PM
વડોદરામાં ભગવાન શંકરના વિવાદિત ચિત્રને કારણે પ્રદર્શન અટકાવાયું
કલા સાથે સંકળાયેલા લોકો પોતાની ધૂનમાં મસ્ત રહેતા હોય છે અને સામાન્ય જગત સાથે સંબંધ રહેતો નથી. તેમની આવી ધૂનને કારણે ક્યારેક સામાન્ય જગતમાં મોટો વિવાદ સર્જાય છે. વડોદરાની એમ એસ યુનિવર્સિટીની ફેકલ્ટી ઓફ આર્ટ્સના ચિત્રકલા વિભાગના વિદ્યાર્થીઓના ચિત્રોના એક પ્રદર્શનમાં ભગવાન શિવનું વિવાદાસ્પદ ચિત્ર મૂકાતા લોકોની લાગણી દુભાઇ હતી. જેના પગલે પ્રદર્શન બંધ કરવામાં આવ્યું છે. આ અંગે પોલીસ ફરિયાદ કરવામાં આવી છે. તપાસ બાદ જરૂર પડશે તો પોલીસ વિવાદિત ચિત્ર દોરનાર વિદ્યાર્થી સામે ફરિયાદ નોંધશે.
ફાઈન આર્ટસ ફેકલ્ટીની આર્ટ ગેલેરીમાં યોજાયેલા પ્રદર્શનમાં જમ્મુના એક કલાકારે ભગવાન શંકરનું વિવાદ ઉભો કરે તેવું ચિત્ર મૂક્યું હતું. વિવાદ સર્જાયા બાદ હવે આ પ્રદર્શનને તાત્કાલિક ધોરણે બંધ કરવામાં આવ્યું છે. પ્રદર્શનમાંથી વિવાદિત ચિત્ર દૂર કરવાની કામગીરી હાથ ધરવામાં આવી છે. સત્તાવાળાઓએ જણાવ્યું કે ત્યાર બાદ પેઇન્ટર સામે યોગ્ય પગલાની કાર્યકારી પછીથી કરવામાં આવશે.
જમ્મુ ખાતે રહેતા કલાકાર સૂરપાલસીંગે પોતાના ચિત્રોનું પ્રદર્શન ફાઈન આર્ટસ ફેકલ્ટીની આર્ટ ગેલેરી ખાતે યોજ્યું છે. 29 ડિસેમ્બર, 2012 સુધી ચાલનારા આ પ્રદર્શનને તેણે 'પેઈન્ટેડ ફિક્શન' નામ આપ્યું છે. આ પ્રદર્શનમાં તેણે ભગવાન શંકરના દારૂની બોટલ અને સિગરેટ સાથે દર્શાવ્યા છે. જેના કારણે હજારો લાખો હિન્દુ શ્રઘ્ધાળુઓની લાગણીને ઠેસ પહોંચી હતી.
આ મુદ્દે કલાકારનું કહેવું છે કે આ કલાની અભિવ્યક્તિ છે અને પાછળ કોઈની લાગણી દુભાવવાનો ઈરાદો નથી. એટલે જ આ પ્રદર્શનને એટલે જ મેં 'પેઈન્ટેડ ફિક્શન' એવું નામ આપ્યું છે.
વિવાદમાં રહેલી એમ એસ યુનિવર્સિટીની ફેકલ્ટી ઓફ આર્ટ્સમાં આ પહેલા ફાઈન આર્ટસના વિદ્યાર્થી ચંદ્રમોહને દેવી દેવતાઓના અશ્લિલ ચિત્રો દોર્યા હતા અને તેના કારણે દેશભરમાં વિવાદ થયો હતો. હવે ફરી એક વખત ભગવાનના વાંધાજનક ચિત્રો પ્રદર્શનમાં મૂકવામાં આવ્યા છે.
-
Gujarat Weather: હવે કમોસમી વરસાદની શક્યતા નહિવત, આગામી દિવસોમાં વધશે ગરમી, જાણો હવામાન વિભાગની આગાહી -
Middle East Crisis: PM મોદી એક્શન મોડમાં, ક્રૂડ ઓઈલ, ગેસ અને ફર્ટિલાઈઝરની સપ્લાય પર મોટો નિર્ણય! -
ગુજરાતના હાઈવે પર હવે નહીં લાગે લાઈનો, વધુ 24 ટોલ પ્લાઝા બનશે બેરિયર-લેસ -
Flight Fare: સરકારે ફ્લાઈટના ભાડા પરથી હટાવ્યું નિયંત્રણ, એરલાઈન્સને મળી ખુલ્લી છૂટ, શું વધશે ટિકિટના ભાવ? -
સોના-ચાંદીના ભાવમાં મોટો કડાકો, જાણો આજના તાજા ભાવ -
VerSe Innovation : નફાકારકતા અને AI તરફ મજબૂત ડગલુ, ભવિષ્યમાં IPO લાવવાની યોજના -
IPL 2026: કઈ ટીમનું નેતૃત્વ કોણ કરશે? ઈશાન કિશનથી લઈને ઋતુરાજ સુધીના તમામ કેપ્ટનોની યાદી, જાણો -
અમેરિકાના ટેક્સાસમાં વેલેરો રિફાઇનરીમાં વિસ્ફોટ થતા હંગામાનો માહોલ -
Weather News: યુપી-એમપી-બિહાર સહિત 8 રાજ્યોમાં ભારે વરસાદનો કહેર, જાણો હવામાન વિભાગની આગાહી -
Flight tickets: પેટ્રોલ-LPG પછી હવે મોંઘી થશે હવાઈ મુસાફરી? ઉડ્ડયન મંત્રીએ આપ્યો આ જવાબ -
ગુજરાતમાં આજથી ચણા-રાયડાની ટેકાના ભાવે ખરીદી શરૂ, 2.96 લાખ ખેડૂતોને ફાયદો થશે -
ગુજરાતમાં પેટ્રોલની અછત હોવાની વાત ફેલાતા હંગામો, જાણો સરકારે શું કહ્યું?










Click it and Unblock the Notifications
