ધરમપુરમાં આજથી 3 દિવસ ગુજરાત સરકારની ચિંતન શિબિર યોજાશે, CM ભૂપેન્દ્ર પટેલ વંદે ભારત ટ્રેનમાં વલસાડ જવા રવાના
Gujarat News: CM ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વમાં મંત્રીમંડળ અને 241 ઉચ્ચ સનદી અધિકારીઓ શિબિરમાં જોડાશે. CM સહિત તમામ ઉચ્ચ અધિકારીઓ સરકારી વાહનને બદલે 'વંદે ભારત' ટ્રેનમાં સામૂહિક પ્રવાસ દ્વારા ધરમપુર જવા રવાના, થીમ: 'સામૂહિક ચિંતનથી સામૂહિક વિકાસ તરફ'.

ગુજરાત રાજ્ય સરકારની 12મી ચિંતન શિબિર આજથી, 27 નવેમ્બરથી 29 નવેમ્બર, 2025 દરમિયાન વલસાડ જિલ્લાના ધરમપુર નજીક આવેલા શ્રીમદ રાજચંદ્ર આશ્રમ ખાતે યોજાવા જઈ રહી છે. આ શિબિરમાં CM ભૂપેન્દ્ર પટેલ, રાજ્ય મંત્રીમંડળના સભ્યો તેમજ 241 ઉચ્ચ સનદી અધિકારીઓ ભાગ લેશે.
CM અને મંત્રીમંડળ વંદે ભારત ટ્રેનમાં વલસાડ જવા રવાના
વહીવટમાં સાદગી અને સામૂહિકતાનો સંદેશ આપતાં, CM ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વમાં રાજ્ય મંત્રીમંડળના સભ્યો તેમજ મુખ્યસચિવ મનોજ કુમાર દાસ સહિત તમામ વરિષ્ઠ સચિવો અને ઉચ્ચ અધિકારીઓએ એક અનોખી પહેલ કરી છે.
તમામ ઉચ્ચ અધિકારીઓ પોતાના સરકારી વાહનોને બદલે ભારતીય રેલ સેવાની 'વંદે ભારત' સુપરફાસ્ટ ટ્રેનમાં સહપ્રવાસી બનીને અમદાવાદ રેલવે સ્ટેશન ખાતેથી ધરમપુર જવા માટે સામૂહિક પ્રવાસરૂપે પ્રસ્થાન કર્યું હતું.
'સામૂહિક ચિંતનથી સામૂહિક વિકાસ તરફ'
PM નરેન્દ્ર મોદીએ રાજ્ય વહીવટને વધુ નાગરિક કેન્દ્રિત અને અસરકારક બનાવવાના હેતુથી વર્ષ 2003માં ચિંતન શિબિરની શરૂઆત કરાવી હતી.
CM ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વમાં આ પરંપરાને આગળ ધપાવતાં, આ વર્ષની શિબિરની થીમ 'સામૂહિક ચિંતનથી સામૂહિક વિકાસ તરફ' રાખવામાં આવી છે. આ શિબિરમાં પ્રશાસનિક સમયાનુરૂપ ટેકનોલોજી, પારદર્શકતા અને સંવેદનશીલતાની નવી દિશા આપવા પર ચર્ચા-વિચારણા કરવામાં આવશે.
આ ત્રણ દિવસીય શિબિરમાં રાજ્યના વિકાસલક્ષી મુદ્દાઓ, યોજનાઓનો અસરકારક અમલ અને વહીવટમાં સુધારા પર ઊંડાણપૂર્વક વિચાર-વિમર્શ કરવામાં આવશે.
-
સોના-ચાંદીના ભાવમાં મોટો કડાકો, જાણો આજના તાજા ભાવ -
VerSe Innovation : નફાકારકતા અને AI તરફ મજબૂત ડગલુ, ભવિષ્યમાં IPO લાવવાની યોજના -
અમેરિકાના ટેક્સાસમાં વેલેરો રિફાઇનરીમાં વિસ્ફોટ થતા હંગામાનો માહોલ -
ગુજરાતમાં આજથી ચણા-રાયડાની ટેકાના ભાવે ખરીદી શરૂ, 2.96 લાખ ખેડૂતોને ફાયદો થશે -
ગુજરાતમાં પેટ્રોલની અછત હોવાની વાત ફેલાતા હંગામો, જાણો સરકારે શું કહ્યું? -
New LPG Booking Rules: 'હવે 35 દિવસ પહેલા બુક નહીં થાય સિલિન્ડર', બદલાયા LPG બુકિંગના નિયમ -
ગુજરાતના માછીમારોને રાહત, ડીઝલના ભાવમાં 22.43 રૂપિયાનો વધારો પાછો ખેંચાયો -
પીએમ નરેન્દ્ર મોદીએ ગેસ સંકટ મુદ્દે મૌન તોડ્યુ, જાણો શું કહ્યું? -
બજાર ખુલતાની સાથે જ શેરબજારમાં ધડાકો, સેન્સેક્સ-નિફ્ટી તુટ્યા -
ભારતને ઈરાનનો મોટો પ્રસ્તાવ, ક્રૂડ ઓઈલ અને ગેસ સપ્લાયની ઓફર -
ગુજરાતમાં બીજા દિવસે પણ પેટ્રોલ-ડીઝલને લઈને હંગામો યથાવત, લાંબી લાઈનો લાગી -
ગુજરાતમાં પેટ્રોલ-ડિઝલનો પુરતો જથ્થો, લોકોને શાંત રહેવા સરકારની અપીલ








Click it and Unblock the Notifications
