દેવભૂમિ દ્વારકાઃ પાણીની અછત સામે ગ્રામજનોનો ઉગ્ર વિરોધ
દેવભૂમિ દ્વારાકાના ભાટીયા ગામના લોકોએ પાણીની અછતને લઇને જામનગર-દ્વારકા હાઇવે પર વિરોધ પ્રદર્શન કર્યું હતું.
દેવભૂમિ દ્વારકા જિલ્લાના ભાટીયા ગામના ગ્રામજનોએ પાણીના પ્રશ્ન સામે વિરોધ નોંધાવ્યો છે. શુક્રવારે વિરોધના બીજા દિવસે ગ્રામજનો દ્વારા સ્વયંભૂ સજ્જડ બંધ પાળી વિરોધ નોંધાવવામાં આવ્યો છે. ભાટીયા ગામના લગભગ 400 જેટલા લોકોએ પાણી પુરવઠા ઓફિસની તાળ બંધી કરી હતી. ગ્રામજનોને વર્ષોથી પીવાનું પૂરતું પાણી મળતું ન હોવાને કારણે તેમનો રોષ ઉછળ્યો હતો.

જામનગર-દ્વારકા હાઈવે પર ગ્રામજનોએ રેલી કાઢી સૂત્રોચ્ચાર કર્યો હતો, તેમણે હાઇવે પણ માનવ સાંકળ રચી ટ્રાફિક જામ કરી દીધો હતો. આ મામલે પોલીસે 200 જેટલા લોકોની અટકાયત કરી હતી. પાણીના વિકટ પ્રશ્નને લઇને ગ્રામજનો ઉપવાસ કરી આંદોલન કરી રહ્યાં છે. તો બીજી બાજુ સરકાર અછત સમિતિ બેઠક કરી પ્રજાના પાણીના પ્રશ્નનો ઉકેલ લાવવામાં આવ્યો હોવાની મોટી મોટી વાતો કરી રહી છે.

More From
-
ભારતને મળ્યા તેના પ્રથમ 'વર્કપ્લેસ હેપ્પીનેસ એવોર્ડ્સ', ઉદ્યોગના દિગ્ગજો દ્વારા નેતૃત્વ -
લેન્સેટના અભ્યાસમાં ચોંકાવનારો ખુલાસો, 2023માં 1.3 અબજ લોકો લિવરની બીમારીના શિકાર બન્યા -
ટ્રમ્પે પશ્ચિમ એશિયાના સંકટ અંગે પીએમ મોદીને અપડેટ કર્યા અને દ્વિપક્ષીય સંબંધોને મજબૂત બનાવ્યા -
Weather Update: દેશના 11 રાજ્યોમાં ભારે વરસાદ અને વાવાઝોડાની આગાહી -
દૂન લિટ ફેસ્ટ દેહરાદૂનમાં સાહિત્ય, સિનેમા, ઇતિહાસ, નેતૃત્વ અને ટેક્નોલોજીને એકસાથે લાવે છે -
અમદાવાદમાં ડ્રગ્સ સામે લાલ આંખ: ઘીકાંટા અને બોપલમાંથી 4 શખ્સો ઝડપાયા, ₹21 લાખનો મુદ્દામાલ જપ્ત -
ગુજરાત હાઈકોર્ટે AI ના દુરુપયોગ અને ડીપફેક નિયમન અંગે મેટા, ગૂગલ અને એક્સને નોટિસ ફટકારી -
અમેરિકા-ઈરાન તણાવ વચ્ચે પશ્ચિમ એશિયા સંકટ પર ઇઝરાયલી સમકક્ષ સાથે વિદેશ મંત્રી જયશંકરની વાતચીત





Click it and Unblock the Notifications
