વિપલ ચૌધરી આપમાંથી લડશે ચૂંટણી, કેજરીવાલની ઉપસ્થિતિમાં જોડાશે આપમાં
પૂર્વ ગૃહમંત્રી વિપુલ ચૌધરી વિસનગરથી આમ આદમી પાર્ટીમાથી ચૂંટણી લડશે. વિસનગરની બેઠક પર હાલ વર્તમાન આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલ છે. વિસનગર બેટકમા ચૌધરી ઠાકોર સમાજ અને પટેલ સમજાનું પ્રભૂત્વ છે. આ વિપુલ ચૌધરીને ડેરીમાં ગેરરીતી
પૂર્વ ગૃહમંત્રી વિપુલ ચૌધરી વિસનગરથી આમ આદમી પાર્ટીમાથી ચૂંટણી લડશે. વિસનગરની બેઠક પર હાલ વર્તમાન આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલ છે. વિસનગર બેટકમા ચૌધરી ઠાકોર સમાજ અને પટેલ સમજાનું પ્રભૂત્વ છે. આ વિપુલ ચૌધરીને ડેરીમાં ગેરરીતી મામલે જેલમાં પૂરી દેવમાં આવ્યા છે. જેને લઇને શંકર ચૌધરી દ્વારા બનાવામાં આવેલ અબુર્દા સેના દ્વારા સતત રાજ્ય સરકાર સામે દેખાવો કરી રહ્યા છે.
વિપુલ ચૌધરીએ 15 નવેમ્બરના રોજ આમ આદમી પાર્ટીમાં વિસનગરમાં શક્તિ પ્રદર્શન કરીને જોડાશે અને વિસનગરથી ચૂંટણી લડશે. આ મામલે આપના પ્રદેશ મહામંત્રી વિપુલ સાકરીયાએ વિપુલ ચૌધરીના આપમાં જોડવાને લઇને ખુશી વ્યક્ત કરી છે.
વિપુલ ચૌધરી વાવ થરાદથી મોટા ભાગે ચૂંટણી લડતા હતા. આ બેઠકો પર ચૌધરી ઠાકોર સમાજનું પ્રભૂત્વ આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય સંયોજક અરવિંદ કેજરીવાલની હાજરીમાં વિપુલ ચૌધરી આપમાં જોડાશે. દુધ સાગર ડેરીના પૂર્વ ચૈરમેન છે. અને તેના લીધે ગ્રામીણ વિસ્તારમાં તેમનું પ્રભૂત્વો જોવા મળે છે.