વિરમગામમાં પ્રજાના પ્રશ્નો ના ઉકલાતા, લોકો ભૂખ હડતાલ પર ઉતર્યા
વિરમગામ શહેરમા પાનચકલા વિસ્તારમાં ઉભરાતી ભુગર્ભ ગટરોના દુષીત પાણી કંટાળીને વેપારીઓ ભૂખ હડતાલ પર બેઠા
વિરમગામ શહેર મા છેલ્લા ઘણા સમય થી શહેર ના ભરવાડી દરવાજા, પાન ચકલા જૂનીમીલ ની ચાલી સહીત ના વિસ્તારો મા ભુગર્ભ ગટરો ના પાણી જાહેર માર્ગો પર ફરી વળતા લોકોની મુશ્કેલીમાં વધારો થયા છે. આ બાબતે અનેક વાર વેપારીઓ દ્રારા વિરમગામ નગર પાલીકા ને લેખીત-મૌખીક રજુઆત કરવા છતા કોઇ નક્કર પગલા ન ભરાતા આખરે અસહ્ય ગંદકીથી કંટાળી લોકો ભૂખહડતાલ પર જવાનું નક્કી કર્યું.
ગુરુવારે, વિરમગામ પાનચકલા વેપારી એસોશિએશન ના 100 થી વઘુ વેપારી ઓએ પોતાના ઘંઘા રોજગાર બંઘ પાળી વિરમગામ નગરપાલિકા નઘરોળ તંત્ર સામે સેવાસદન કચેરી ખાતે ભુખ હડતાલ પર ઉતર્યા છે.
નોંધનીય છે કે નાગરીકોની માંગણી હતી કે આ અંગે તંત્ર દ્વારા ત્વરીત પગલા લેવામાં આવે. ત્યારે સમગ્ર બજારને આજે બંધ રખવામાં આવી હતી. અને લોકોએ પોતાનો વિરોધ વ્યક્ત કર્યો હતો. ત્યારે આ અંગે આવનારા દિવસોમાં નગરપાલિકા દ્વારા કોઇ ઠોસ પગલાં લેવામાં આવે છે કે નહીં તે હવે જોવું રહ્યું.