વડોદરામાં 2589 મતદાન મથકો પર મતદાર સુધારણા ઝુંબેશ હાથ ધરાઈ!
કેન્દ્રીય ચુંટણી પંચ દ્વારા દેશભરમાં મતદાર યાદી સંક્ષિપ્ત સુધારણા કાર્યક્રમ આપવામાં આવ્યો છે. જેમાં હક્ક દાવાઓ અને વાંધા અરજીઓ સ્વીકારવાનો સમયગાળો 11 સપ્ટેમ્બર સુધી નિર્ધારિત કરવામાં આવ્યો છે.
કેન્દ્રીય ચુંટણી પંચ દ્વારા દેશભરમાં મતદાર યાદી સંક્ષિપ્ત સુધારણા કાર્યક્રમ આપવામાં આવ્યો છે. જેમાં હક્ક દાવાઓ અને વાંધા અરજીઓ સ્વીકારવાનો સમયગાળો 11 સપ્ટેમ્બર સુધી નિર્ધારિત કરવામાં આવ્યો છે. વડોદરા જિલ્લામાં સમાવિષ્ટ તમામ વિધાનસભા મત વિભાગોમાં 12 ઓગસ્ટથી મતદાર યાદી ખાસ સંક્ષિપ્ત સુધારણાના કાર્યક્રમ શરૂ થયો છે.

વડોદરા શહેર જિલ્લામાં સમાવિષ્ટ તમામ વિધાનસભા મતવિસ્તારમાં આજે ૨વિવારના રોજ ખાસ ઝુંબેશ ચલાવવામાં આવી છે. જેના ભાગરૂપે વડોદરા શહેરના ૧૨૬૭ અને ગ્રામ્ય વિસ્તારના ૧૩૨૨ સહિત કુલ ૨૫૮૯ મતદાન મથકો પર બુથ લેવલ ઓફીસર દ્વારા દિવસ દરમિયાન મતદાર યાદીમાં નામ નોંધણી, સુધારા વધારા કરવા, આધાર લીંક, હક્ક દાવા અને વાંધા અરજીઓ સ્વીકારવામાં આવશે.
આગામી ગુજરાત વિધાનસભાની સામાન્ય ચૂંટણીને ધ્યાને રાખી મતદારયાદીની ખાસ સંક્ષિપ્ત સુધારણા કાર્યક્રમમાં જિલ્લાનો કોઈપણ નાગરીક મતદાર નોંધણીથી વંચિત ૨હી ન જાય અને યુવા મતદારોનો મતદારયાદીમાં સમાવેશ કરવા જિલ્લા કલેક્ટરે અપીલ કરી છે. ખાસ ઝુંબેશ થકી મતદાર જાગૃતિના કાર્યક્રમ આયોજીત ક૨વામાં આવ્યા હોવાનું જિલ્લા ચૂંટણી અધિકારીએ જણાવ્યું છે.












Click it and Unblock the Notifications
