કતલખાના બંધ કરવાના આદેશ પર ગુજરાત હાઇકોર્ટ, કહ્યું- એક-બે દિવસ માંસ નહી ખાઓ તો શું થઇ જશે?
ગુજરાતમાં કતલખાના બંધ કરવાના નિર્ણય પર એક અરજદારને હાઈકોર્ટે શું કહ્યું, તે ટિપ્પણી લોકોમાં ચર્ચાઈ રહી છે. વાસ્તવમાં જૈન સમાજના તહેવાર નિમિત્તે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા શહેરના એકમાત્ર કતલખાનાને બંધ રાખવાનો નિ
ગુજરાતમાં કતલખાના બંધ કરવાના નિર્ણય પર એક અરજદારને હાઈકોર્ટે શું કહ્યું, તે ટિપ્પણી લોકોમાં ચર્ચાઈ રહી છે. વાસ્તવમાં જૈન સમાજના તહેવાર નિમિત્તે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા શહેરના એકમાત્ર કતલખાનાને બંધ રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો. જેની સામે એક વ્યક્તિએ ગુજરાત હાઈકોર્ટમાં અરજી કરી હતી. જ્યારે હાઈકોર્ટમાં અરજીની સુનાવણી થઈ ત્યારે વ્યક્તિએ તેના મૂળભૂત અધિકારો માટે દલીલ કરી હતી. તેના પર ન્યાયાધીશે કહ્યું, 'શું માંસ ખાધા વિના એક-બે દિવસ જીવી ન શકાય? તમે તમારી જાતને 1-2 દિવસ સુધી માંસ ખાવાથી રોકી શકતા નથી?'

હાઇકોર્ટમાં અરજદારને આમ કહીને ન્યાયાધીશે સુનાવણી શુક્રવાર સુધી મુલતવી રાખી હતી. અરજદાર કુલ હિંદ જમિયત-અલ કુરેશ એક્શન કમિટીના વતી હતા, જેમણે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન (AMC)ના 24 ઓગસ્ટથી 31 ઓગસ્ટ સુધી કતલખાના બંધ કરવાના નિર્ણય સામે ગુજરાત હાઈકોર્ટમાં અરજી કરી હતી. અરજદાર, કુલ હિન્દ જમિયત-અલ કુરેશ એક્શન કમિટીએ દલીલ કરી હતી કે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન (AMC) દ્વારા 24 ઓગસ્ટથી 31 ઓગસ્ટ સુધી કતલખાના બંધ કરવાનો આદેશ લોકોના ખોરાકના અધિકારમાં ઘટાડો કરે છે. અમને આની સામે વાંધો છે, આવા આદેશ પર સ્ટે મૂકવો જોઈએ.
અરજદારની માંગને ધ્યાનમાં લીધા પછી, હાઇકોર્ટમાં જસ્ટિસ ભટ્ટે અવલોકન કર્યું કે, "જ્યારે સ્ટે હોય છે, ત્યારે લોકો છેલ્લી ઘડીએ કોર્ટમાં ધસી આવે છે." પછી ટ્રાયલ પેપર્સ જોઈને ભટ્ટે ટિપ્પણી કરી કે શું માંસ ખાધા વગર એક-બે દિવસ જીવી ન શકાય? તેણે કહ્યું, 'તમે તમારી જાતને એક કે બે દિવસ માટે માંસ ખાવાથી રોકી શકો છો...'
ત્યારે અરજદાર વતી એવું કહેવામાં આવ્યું હતું કે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન (AMC) એ પણ વિવિધ તહેવારોને ધ્યાનમાં રાખીને 5 થી 9 સપ્ટેમ્બર વચ્ચે એકમાત્ર કતલખાનાને બંધ કરવાનો આદેશ આપ્યો છે. અમે મહાનગરપાલિકાના આ નિર્ણયના વિરોધમાં છીએ. આમ કહીને અરજદારે વચગાળાની રાહત માટે દબાણ કર્યું, જેના પર ન્યાયાધીશે આ મામલાની વધુ સુનાવણી શુક્રવાર સુધી મુલતવી રાખી હતી.
-
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
સતાધાર ધામની અનોખી પહેલ: રોજ 10 હજાર યાત્રાળુઓનું ભોજન બાયોગેસ પર થાય છે તૈયાર -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી? -
MI vs KKR: આજે વાનખેડેમાં નાઈટ રાઈડર્સ કરશે મોટો ઉલટફેર! હેડ-ટુ-હેડ રેકોર્ડમાં કોનું પલ્લું છે ભારે? -
Petrol Diesel Price: 29 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
PM Modi Speech Highlights: 'યુવાનોના ભવિષ્યને મળશે નવી ઉડાન', PM મોદીએ નોઈડા એરપોર્ટનું કર્યું ઉદ્ઘાટન -
Weather News: યુપી-એમપી સહિત 9 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો હવામાન વિભાગની આગાહી -
Gujarat Weather: રાજ્યમાં આકરી ગરમીનો અનુભવ કરતા શહેરીજનો, કેશોદમાં 39 ડિગ્રી, જાણો તમારા શહેરની સ્થિતિ -
Iran Vs America: PM મોદીએ સાઉદી પ્રિન્સ સાથે ફોન પર કરી વાત, જાણો કયા મુદ્દાઓ પર થઈ ચર્ચા







Click it and Unblock the Notifications
