નર્મદા જિલ્લામાં વિશ્વ માતૃભાષા દિવસની ઉજવણી કરવામાં આવી
ગુજરાતી સાહિત્ય અકાદમી અને નર્મદા સાહિત્ય સંગમના સંયુક્ત ઉપક્રમે નર્મદા જિલ્લામાં વિશ્વ માતૃભાષા દિવસ ઉજવણી કરવામાં આવી. જે અંતર્ગત રાજપીપળા જિલ્લા શિક્ષણ તાલીમ ભવન ખાતે માતૃભાષાના મહત્વ અને તેના સંરક્ષણ માટે માતૃભાષા મહોત્સવ કાર્યક્રમ યોજાયો.

સ્ત્રી અધ્યાપન મંદીર રાજપીપળાના આચાર્ય ડો.વિમલ મકવાણાએ જણાવ્યુ કે, તાલીમાર્થી મિત્રોને માતૃભાષા એટલે શું, તેનું મહત્વ શું છે, એનું સંવર્ધન અને જતન કરવા માટે આપણે શું કરી શકીએ એના અલગ-અલગ પગલાઓની વિસ્તૃત ચર્ચા કરી, વિદ્યાર્થીઓએ-તાલીમાર્થીઓએ ઉત્સાહથી ભાગ લીધો.
આગામી જીવનમાં રોજબરોજની ઘટનાઓમાં તેઓ માતૃભાષાનો ઉપયોગ કરે તેના માટે અમે ખાસ એમને ભાર દઈને જણાવ્યું, જેમાં એ લોકો પણ સામેલ થયા હતા.
એમ.આર.આર્ટ્સ કોલેજના ગુજરાતી વિભાગના અધ્યક્ષ સુરેશ પટેલે જણાવ્યુ કે, આજે અન્ય ભાષાઓના આક્રમણને કારણે ગુજરાતી ભાષામાં જે મુશ્કેલીઓ સર્જાવા લાગી છે, તેના અંતર્ગત વિદ્યાર્થીઓને સારી રીતે ગુજરાતી ભાષાનું જ્ઞાન મળે, ગુજરાતી ભાષાની જાળવણી કરે એટલા માટે વિદ્યાર્થીઓને સમજ આપવામાં આવી, સાથોસાથ ગુજરાતી ભાષામાં રુચિ પણ કેળવાય તેની પણ જાણકારી આપવામાં આવી છે.












Click it and Unblock the Notifications
