Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

યુવા BJP ૧૮ થી ૨૫ નવેમ્બર સુધી યોજશે 'નવા મતદાતા સંપર્ક અભિયાન'

youth-bjp
અમદાવાદ, 11 નવેમ્બર : ભાજપ યુવા મોરચાના પ્રમુખ પ્રદિપસિંહ વાઘેલા તેમજ મહામંત્રી હિતેશ પટેલે એક અખબારી યાદીમાં જણાવ્યું છે કે ગુજરાત વિધાનસભાની ડિસેમ્બર માસમાં યોજાનારી ચૂંટણીમાં યુવા મતદારોનું વિશેષ મહત્વ રહેવાનું છે ત્યારે યુવા ભાજપા દ્વારા સમગ્ર રાજયમાં 18થી 25 નવેમ્બર દરમિયાન નગરપાલિકા-મહાનગરપાલિકા વિસ્તારોમાં 'નવા મતદાતા સંપર્ક અભિયાન'નો પ્રારંભ કરાશે.

આ અભિયાનમાં યુવા મતદારો વચ્ચે ભાજપા યુવા મોરચાના કાર્યકરો જશે તેમજ સન્માન અને સત્કાર કરી રાષ્ટ્રવાદી વિચારધારા સાથે જોડવાના કાર્યક્રમો કરશે. તેઓએ વધુમાં જણાવ્યું છે કે 19 નવેમ્બરથી સમગ્ર રાજયમાં ગ્રામીણ વિસ્તારોમાં યુવા ભાજપના કાર્યકરો 'વિકાસ રથ' લઇને ફરશે અને ગામે-ગામ વિકાસના અમલમાં મુકાયેલા કાર્યક્રમોથી જનતાને માહિતગાર કરશે.

તેઓએ વધુમાં જણાવ્યું છે કે 30 નવેમ્બરથી સમગ્ર રાજયમાં વિધાનસભા દીઠ 'વિજય વિશ્વાસ યુવા સંમેલન' કરવામાં આવશે અને રાજયમાંથી જુઠ્ઠાણા, મોંઘવારી, ભ્રષ્ટાચારનો પર્યાય બનેલી કોંગ્રેસને ઉખાડી ફેકવા યુવાનોને આહવાન કરશે.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X