Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

લોકસભા ચૂંટણી પર આતંકનો ઓછાયોઃ 10 આતંકી પકડયા

જયપુર, 3 એપ્રિલઃ રાજસ્થાનમાં ઇન્ડિયન મુજાહિદ્દિનના 10 સંદિગ્ધ આતંકવાદીઓની ધરપકડ કરવામાં આવી છે. આ પહેલા જાસૂસી એજન્સીઓએ યુપીમાં આતંકવાદીઓ છૂપાયા હોવાની સૂચના જારી કરી હતી. આતંકવાદી તહસીન ઉર્ફ મોનૂએ જણાવેલી માહિતી અનુસાર આ તમામ આતંકવાદીઓની ધરપકડ કરવામાં આવી છે. એટીએસ આતંકવાદીઓને શોધવા આખા રાજસ્થાનમાં રેડ પાડી રહી છે. આ પહેલા પણ એટીએસે રાજસ્તાનમાંથી આઇએમના ત્રણથી વધુ આતંકવાદીઓની ધરપકડ કરી ચૂકી છે.

indian-mujahideen-logo
આ પહેલા પોલીસે જયપુર, જોધપુર અને સીકરમાંથી આતંકવાદીઓની ધરપકડ કરી છે. તેમને પણ પહેલા પકડવામાં આવેલા આતંકવાદીઓએ આપેલી બાતમીના આધારે પકડવામાં આવ્યા છે. રાજસ્થાનમાં આતંકી ગતિવિધિઓનું નેટવર્ક હોવાની આશંકા છે, જેને લોકસભા ચૂંટણી પહેલા તોડવામાં એટીએસ લાગેલી છે. જે અંતર્ગત જયપુર જિલ્લામાં રહેતા અંદાજે બે ડઝન લોકો પર પોલીસની જાસૂસ નજર છે. પાકિસ્તાન બોર્ડરની આસપાસ સ્થિત વિસ્તારોમાં ચુસ્ત દેખરેખ રાખવામાં આવી રહી છે. નોંધનીય છે કે લોકસભા ચૂંટણીને ધ્યાનમાં રાખીને ખાસ સુરક્ષા ગોઠવવામાં આવી રહી છે. જાસૂસી વિભાગે દેશના રાષ્ટ્રીય નેતાઓનો જીવ જોખમમાં હોવાના સંકેત આપ્યા હતા. નેતાઓને જાસૂસી વિભાગે સતર્ક રહેવા અને રેલીઓ દરમિયાન કેટલીક ખાસ વસ્તુઓથી સાવધાન રહેવા કહ્યું છે.

એનઆઇએ અને દિલ્હી પોલીસ બન્નેએ અહીં એક અદાલતમાં બુધવારે ઇન્ડિયન મુજાહિદ્દિનના બે સંદિગ્ધ કાર્યકર્તાઓની હિરાસતની માંગ કરી છે. એનઆઇએએ અદાલતને હૈદરાબાદના દિલસુધ નગરમાં 2013માં થયેલા વિસ્ફોટ મામલે તહસીન અખ્તર ઉર્ફ મોનૂ અને પાકિસ્તાની નાગરિક વકાસ ઉર્ફ જિયાઉર રહેમાનની હિરાસત માંગી છે. એનઆઇએએ અદાલતને કહ્યું કે, આ એક સંઘીય એકમ છે, અતઃ તેને સંદિગ્ધોને હિરાસતમાં લઇને તેમની પૂછપરછ કરવાનો અધિકાર છે.

દિલ્હી પોલીસે બન્ને સંદિગ્ધોને હિરાસતમાં સોંપવામાં આવે તેનો વિરોધ કરતા એનઆઇએએ અદાલતને કહ્યું કે દિલ્હી પોલીસની વિશેષ શાખા રાજ્યનો એકમ છે તથ વકાસ અને મોનૂ દિલસુખનગર મામલે વાંછિત છે, જેની તપાસ એનઆઇએ કરી રહ્યું છે. બન્ને આરોપી તરફથી બચાવ પક્ષના વકીલ એમ એસ ખાને પૂછ્યું કે દિલ્હી પોલીસે બન્ને આરોપીની 10 દિવસની હિરાસત દરમિયાન શું કર્યું. વિશેષ શાખાએ અદાલતને જણાવ્યું છે કે આ દરમિયાન આઇઆઇએના સંદિગ્ધ કાર્યકર્તા રિયાઝ ભટકલને ભાળ મેળવવા પ્રયાસ કરી રહ્યાં હતા.

વિશેષ શાખાએ 2011માં ગેરકાયદે હથિયાર નિર્માણ મામલે બે આરોપીઓની હિરાસત વધારવાની માંગ કરી છે. વિશેષ શાખાએ કહ્યું કે એનઆઇએ કોઇ મામલે તપાસ કરી રહેલી સ્થાનિક પોલીસના અધિકારનું હનન કરી શકતી નથી. બન્ને પક્ષોની દલીલ સાંભળ્યા બાદ અદાલતે બન્ને આરોપીઓને દિલ્હી પોલીસને 13 દિવસની હિરાસત માટે સોંપી દીધા છે.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X