For Daily Alerts
ઝારખંડમાં 10 માઓવાદીઓની હત્યા
ચતરાના ઉપાયુક્ત મનોજ કુમારે જણાવ્યું કે લક્રામંદા ગામ પાસે દસ માઓવાદીઓના મૃતદેહો મળી આવ્યા છે. આ તમામ ટીપીસી સાથે ગત રાત્રે થયેલા એક ઘર્ષણમાં માર્યા ગયા છે. પોલીસ અધીક્ષક અનુપ બરથરે ઘટના સ્થળ પર પહોંચી ચૂક્યા છે. રાંચીથી 100 કિમી દૂર સ્થિત આ ગામ ચતરા જિલ્લાના કુંડા પોલીસ મથક હેઠળ આવે છે.
બરથરેએ જણાવ્યું કે માઓવાદીઓ અને ટીપીસી કાડરોં વચ્ચે સાંજે શરૂ થયેલું આ ઘર્ષણ મોડી રાત સુધી ચાલી રહ્યું હતું. તેમણે કહ્યું કે, કોબરા બટાલિયન અને જિલ્લા પોલીસના જવાનો ઘટના સ્થળે પહોંચી જતા વિદ્રોહીઓ આ મૃતદેહો પોતાની સાથે લઇ જઇ શક્યા નહોતા. પોલીસે ઘટના સ્થળથી છ હથિયારો પણ મેળવ્યા છે. ટીપીસીએ સમાચાર ચેનલોને ફોન કરીને 15 અન્ય માઓવાદીઓનું અપહરણ કરવાનો દાવો કર્યો છે.
આ અંગે બરથરેને પૂછવામાં આવ્યું તો તેમણે કહ્યું કે પોલીસને કોઇ જાણકારી મળી નથી.
English summary
Ten Maoists were killed in a gunbattle with a rival faction in Jharkhand's Chatra district yesterday evening, police said.