વધુ 10 ચિત્તાને ભારત લાવવામાં આવશે, 10 જાન્યુઆરી સુધીમાં આવી શકે
ભારતમાં ચિત્તાઓને ફરી વસાવવાની દિશામાં વધુ એક પગલુ ભરાઈ રહ્યું છે. હવે વધુ 10 ચિત્તાઓને ભારત લાવવામાં આવશે.
નવી દિલ્હી : ભારતમાં ચિત્તાને ફરી વસાવવા માટે સતત પ્રયાસ કરવામાં આવી રહ્યા છે ત્યારે હવે ફરી એક વખત વધુ ચિત્તા ભારત લાવવાની તૈયારી શરૂ કરાઈ છે. મળતી વિગતો અનુસાર હવે વધુ 10 ચિત્તાને લાવવામાં આવશે. પહેલી વખત નામિબિયાથી ચિત્તાને ભારત લવાયા હતા ત્યારે હવે દક્ષિણ આફ્રિકાથી વધુ એક ચિત્તાની ખેપ ભારત લવાશે.

સામે આવી રહેલી વિગતો અનુસાર પહેલી વખત લાવવામાં આવેલા ચિત્તાને ભારતીય વાતાવરણ પસંદ આવી રહી છે ત્યારે હવે સરકારે વધુ ચિત્તાને ભારત લાવવાની તૈયારી શરૂ કરી છે. આ મુદ્દે વાત કરતા કુનો અભયારણ્યના ડીએફઓ પ્રકાશ વર્માએ જણાવ્યુ કે, ભારત સરકાર અને દક્ષિણ આફ્રિકા સરકાર વચ્ચે 12 ચિત્તા ભારત લાવવા વાતચીત થઈ છે અને અપેક્ષા છે કે ચિત્તાઓની બીજી બેચ 10 જાન્યુઆરી સુધીમાં મળી જશે. આ અંગે કુનો અભયારણ્યમાં તૈયારીઓ પૂર્ણ કરી દેવાઈ છે.
તેમણે વધુમાં કહ્યું કે, દક્ષિણ આફ્રિકાથી લાવવામાં આવેલા વધુ 12 ચિત્તા માટે વધુ 8 વાડા તૈયાર કરાયા છે અને 6 વાડા પહેલાથી જ તૈયાર હતા. આમ કુલ 12 ચિત્તા માટે 14 વાડા તૈયાર છે.
અહીં તમને જણાવી દઈએ કે, નામિબિયાથી આવેલા તમામ ચિત્તા અભ્યારણમાં સેટ થઈ ચુક્યા છે. ભારતીય વાતાવરણ ચિત્તાઓને પસંદ આવી રહ્યું છે.
-
ભારતને મળ્યા તેના પ્રથમ 'વર્કપ્લેસ હેપ્પીનેસ એવોર્ડ્સ', ઉદ્યોગના દિગ્ગજો દ્વારા નેતૃત્વ -
લેન્સેટના અભ્યાસમાં ચોંકાવનારો ખુલાસો, 2023માં 1.3 અબજ લોકો લિવરની બીમારીના શિકાર બન્યા -
ટ્રમ્પે પશ્ચિમ એશિયાના સંકટ અંગે પીએમ મોદીને અપડેટ કર્યા અને દ્વિપક્ષીય સંબંધોને મજબૂત બનાવ્યા -
દૂન લિટ ફેસ્ટ દેહરાદૂનમાં સાહિત્ય, સિનેમા, ઇતિહાસ, નેતૃત્વ અને ટેક્નોલોજીને એકસાથે લાવે છે -
Weather Update: દેશના 11 રાજ્યોમાં ભારે વરસાદ અને વાવાઝોડાની આગાહી -
ગુજરાત હાઈકોર્ટે AI ના દુરુપયોગ અને ડીપફેક નિયમન અંગે મેટા, ગૂગલ અને એક્સને નોટિસ ફટકારી -
અમેરિકા-ઈરાન તણાવ વચ્ચે પશ્ચિમ એશિયા સંકટ પર ઇઝરાયલી સમકક્ષ સાથે વિદેશ મંત્રી જયશંકરની વાતચીત -
અમદાવાદમાં ડ્રગ્સ સામે લાલ આંખ: ઘીકાંટા અને બોપલમાંથી 4 શખ્સો ઝડપાયા, ₹21 લાખનો મુદ્દામાલ જપ્ત





Click it and Unblock the Notifications
