વધુ 10 ચિત્તાને ભારત લાવવામાં આવશે, 10 જાન્યુઆરી સુધીમાં આવી શકે
ભારતમાં ચિત્તાઓને ફરી વસાવવાની દિશામાં વધુ એક પગલુ ભરાઈ રહ્યું છે. હવે વધુ 10 ચિત્તાઓને ભારત લાવવામાં આવશે.
નવી દિલ્હી : ભારતમાં ચિત્તાને ફરી વસાવવા માટે સતત પ્રયાસ કરવામાં આવી રહ્યા છે ત્યારે હવે ફરી એક વખત વધુ ચિત્તા ભારત લાવવાની તૈયારી શરૂ કરાઈ છે. મળતી વિગતો અનુસાર હવે વધુ 10 ચિત્તાને લાવવામાં આવશે. પહેલી વખત નામિબિયાથી ચિત્તાને ભારત લવાયા હતા ત્યારે હવે દક્ષિણ આફ્રિકાથી વધુ એક ચિત્તાની ખેપ ભારત લવાશે.

સામે આવી રહેલી વિગતો અનુસાર પહેલી વખત લાવવામાં આવેલા ચિત્તાને ભારતીય વાતાવરણ પસંદ આવી રહી છે ત્યારે હવે સરકારે વધુ ચિત્તાને ભારત લાવવાની તૈયારી શરૂ કરી છે. આ મુદ્દે વાત કરતા કુનો અભયારણ્યના ડીએફઓ પ્રકાશ વર્માએ જણાવ્યુ કે, ભારત સરકાર અને દક્ષિણ આફ્રિકા સરકાર વચ્ચે 12 ચિત્તા ભારત લાવવા વાતચીત થઈ છે અને અપેક્ષા છે કે ચિત્તાઓની બીજી બેચ 10 જાન્યુઆરી સુધીમાં મળી જશે. આ અંગે કુનો અભયારણ્યમાં તૈયારીઓ પૂર્ણ કરી દેવાઈ છે.
તેમણે વધુમાં કહ્યું કે, દક્ષિણ આફ્રિકાથી લાવવામાં આવેલા વધુ 12 ચિત્તા માટે વધુ 8 વાડા તૈયાર કરાયા છે અને 6 વાડા પહેલાથી જ તૈયાર હતા. આમ કુલ 12 ચિત્તા માટે 14 વાડા તૈયાર છે.
અહીં તમને જણાવી દઈએ કે, નામિબિયાથી આવેલા તમામ ચિત્તા અભ્યારણમાં સેટ થઈ ચુક્યા છે. ભારતીય વાતાવરણ ચિત્તાઓને પસંદ આવી રહ્યું છે.
-
Gujarat Weather: હવે કમોસમી વરસાદની શક્યતા નહિવત, આગામી દિવસોમાં વધશે ગરમી, જાણો હવામાન વિભાગની આગાહી -
Middle East Crisis: PM મોદી એક્શન મોડમાં, ક્રૂડ ઓઈલ, ગેસ અને ફર્ટિલાઈઝરની સપ્લાય પર મોટો નિર્ણય! -
ગુજરાતના હાઈવે પર હવે નહીં લાગે લાઈનો, વધુ 24 ટોલ પ્લાઝા બનશે બેરિયર-લેસ -
Flight Fare: સરકારે ફ્લાઈટના ભાડા પરથી હટાવ્યું નિયંત્રણ, એરલાઈન્સને મળી ખુલ્લી છૂટ, શું વધશે ટિકિટના ભાવ? -
સોના-ચાંદીના ભાવમાં મોટો કડાકો, જાણો આજના તાજા ભાવ -
VerSe Innovation : નફાકારકતા અને AI તરફ મજબૂત ડગલુ, ભવિષ્યમાં IPO લાવવાની યોજના -
IPL 2026: કઈ ટીમનું નેતૃત્વ કોણ કરશે? ઈશાન કિશનથી લઈને ઋતુરાજ સુધીના તમામ કેપ્ટનોની યાદી, જાણો -
અમેરિકાના ટેક્સાસમાં વેલેરો રિફાઇનરીમાં વિસ્ફોટ થતા હંગામાનો માહોલ -
Weather News: યુપી-એમપી-બિહાર સહિત 8 રાજ્યોમાં ભારે વરસાદનો કહેર, જાણો હવામાન વિભાગની આગાહી -
Flight tickets: પેટ્રોલ-LPG પછી હવે મોંઘી થશે હવાઈ મુસાફરી? ઉડ્ડયન મંત્રીએ આપ્યો આ જવાબ -
ગુજરાતમાં આજથી ચણા-રાયડાની ટેકાના ભાવે ખરીદી શરૂ, 2.96 લાખ ખેડૂતોને ફાયદો થશે -
ગુજરાતમાં પેટ્રોલની અછત હોવાની વાત ફેલાતા હંગામો, જાણો સરકારે શું કહ્યું?










Click it and Unblock the Notifications
