વરસાદ અને ખરાબ હવામાનના કારણે કેદારનાથમાં ફસાયા 10 હજાર શ્રદ્ધાળુ, પ્રશાસને જાહેર કર્યુ એલર્ટ
ગાઢ ધૂમ્મસ અને બગડતા હવામાનને જોતા જિલ્લા પ્રશાસને કેદારનાથ યાત્રા પર તત્કાલિક અસરથી રોક લગાવી દીધી છે.
ચમોલીઃ ગાઢ ધૂમ્મસ અને બગડતા હવામાનને જોતા જિલ્લા પ્રશાસને કેદારનાથ યાત્રા પર તત્કાલિક અસરથી રોક લગાવી દીધી છે. આ સાથે કેદારનાથ ધામના માર્ગમાં ફસાયેલા શ્રદ્ધાળુઓ માટે એલર્ટ જાહેર કરવામાં આવ્યુ છે. શ્રદ્ધાળુઓને પ્રશાસને અપીલ કરીને કહ્યુ છે કે જે જ્યાં છે ત્યાં જ રહે અને સાવચેતી રાખે. જણાવવામાં આવી રહ્યુ છે કે વરસાદ અને ધૂમ્મસના કારણે પ્રશાસને લગભગ 10 હજાર શ્રદ્ધાળુઓને ગૌરીકુંડ, સોનપ્રયાગ, ગુપ્તકાશી, અગત્સ્યમુનિ અને રુદ્રપ્રયાગમાં રોકી દીધા છે.

જણાવવામાં આવી રહ્યુ છે કે સોમવારે 23 મેનો રોજ કેદારનાથ યાત્રા માત્ર એક કલાક ચાલી શકી. સવારે 8 વાગે શરુ થયેલી યાત્રાને વરસાદના કારણે 9 વાગે રોકી દેવામાં આવી. જણાવવામાં આવી રહ્યુ છે કે પ્રશાસને મંગળવાર સુધી વરસાદના પૂર્વાનુમાનને જોતા યાત્રા પર રોક લગાવી દીધી છે. જો કે, સોમવાર સવારે એક કલાક સુધી ચાલેલી યાત્રામાં લગભગ 8530 શ્રદ્ધાળુ કેદારનાથ માટે રવાના થઈ ગયા હતા. પરંતુ ત્યારાબદ કેદારઘાટી તેમજ કેદારનાથમાં ભારે વરસાદ અને ગાઢ ધૂમ્મસના કારણે પ્રશાસને તાત્કાલિક પ્રભાવથી યાત્રા રોકી દીધી.
અહેવાલો મુજબ આ દરમિયાન રૂદ્રપ્રયાગથી ગુપ્તકાશી સુધી પાંચ હજાર મુસાફરોને એક જગ્યાએથી રોકી દેવામાં આવ્યા હતા. વળી, સોનપ્રયાગમાં 2000 અને ગૌરીકુંડમાં 3200 મુસાફરોને રોકવામાં આવ્યા હતા. સવારે 9 વાગ્યા પછી યાત્રીઓને સોનપ્રયાગથી કેદારનાથ મોકલવામાં આવ્યા ન હતા, જેઓ 8 વાગ્યા સુધી ધામ માટે રવાના થયા હતા. પોલીસ અને અન્ય સુરક્ષા કર્મચારીઓની હાજરીમાં હળવા વરસાદ દરમિયાન તેઓને ધીમે ધીમે આગળ વધારવામાં આવ્યા હતા. આ દરમિયાન જ્યાં પણ વરસાદનુ જોર વધ્યુ ત્યાં મુસાફરોને રોકી દેવામાં આવ્યા હતા.
વહીવટીતંત્રના જણાવ્યા અનુસાર બપોર સુધીમાં 45 ટકાથી વધુ મુસાફરો પગપાળા સુરક્ષિત રીતે ધામ પહોંચી ગયા હતા. બાકીના મુસાફરો પણ મોડી સાંજ સુધીમાં ધામે પહોંચી જશે. તો બીજી તરફ કેદારનાથમાં વરસાદના કારણે 3200 મુસાફરો અટવાયા હતા. ખરાબ હવામાનને કારણે કેદારનાથની નીચે પણ કોઈ યાત્રીને જવા દેવામાં આવ્યા ન હતા. જિલ્લા આપત્તિ વ્યવસ્થાપન અધિકારી નંદન સિંહ રાજવારે જણાવ્યુ કે યાત્રીઓની સુરક્ષા માટે સોનપ્રયાગથી કેદારનાથ સુધી સુરક્ષા દળોને તૈનાત કરવામાં આવ્યા છે. તેમજ શ્રદ્ધાળુઓને તેઓ જ્યાં છે ત્યાં જ રહેવા અને સાવચેતી રાખવા જણાવવામાં આવ્યુ છે.
નાયબ પોલીસ અધિક્ષક પીકે ઘિલડિયાલે મુસાફરોને જણાવ્યુ કે જે મુસાફરોએ રૂમ બુક કરાવ્યા નથી તેમને રુદ્રપ્રયાગ અને અગસ્ત્યમુની વચ્ચેની હોટલ, લૉજ, રેસ્ટોરન્ટ, ધર્મશાળામાં મોકલવામાં આવી રહ્યા છે. આ ઉપરાંત, જે મુસાફરોના રૂમ બુક કરવામાં આવ્યા છે તેઓને આગામી આદેશ સુધી તેમના રૂમમાં રહેવા માટે કહેવામાં આવ્યુ છે.
-
યુએસ-ઈરાન વાટાઘાટો: અમેરિકા અને ઈરાન વચ્ચે કેમ વાત ન બની? હોર્મુઝથી ન્યૂક્લિયર સુધી, આ 5 કારણોએ શાંતિનો માર્ગ -
યુ.એસ. ઈરાન વાટાઘાટો નિષ્ફળ થયા બાદ તેલના ભાવ વધ્યા -
Crude oil Price Hike: હોર્મુઝ પર ટ્રમ્પની ઘેરાબંધી થી ક્રૂડ ઓઈલની કિંમતમાં તેજ ઉછાળો, ભારતમાં ભાવ શું છે? -
ક્યુબાના રાષ્ટ્રપતિ મિગુએલ ડિયાઝ-કેનેલે લશ્કરી કાર્યવાહી અને તેમને પદભ્રષ્ટ કરવાના પ્રયાસો સામે યુએસને ચેતવણી આપી -
સુપરનેચરલ થ્રિલર સીરીઝ ‘FROM’ Season 4 ની વાપસી; જાણો આ સીઝનમાં શું-શું હશે? -
RCB vs MI: મુંબઈ ઈન્ડિયન્સની હારની હેટ્રિક -
લખતર-વિરમગામ રોડ પર ટ્રકે પદયાત્રીઓને કચડ્યા, 7 ના કરુણ મોત -
મુંબઇ ઇન્ડિયન્સે બુમરાહની ભૂમિકા પર પુનર્વિચાર કરવો જોઈએઃ ફાફ -
રાજકોટ AIIMS માં સર્જરીના આંકડામાં ધરખમ ઉછાળો: વર્ષ 2025માં 1,900 થી વધુ ઓપરેશન સફળતાપૂર્વક સંપન્ન -
"ગુજરાતીઓને મૂર્ખ સમજનારાઓને જનતા જડબાતોડ જવાબ આપશે": વડોદરાથી હર્ષ સંઘવીનો વિપક્ષ પર પ્રહાર -
સોનિયા ગાંધીએ સરકારના સીમાંકન પ્રસ્તાવને બંધારણ પર ખતરનાક હુમલો ગણાવ્યો





Click it and Unblock the Notifications
