દિલ્હીની બુરાડીમાં એક જ ઘરમાંથી 11 લાશો મળી, ભયનો માહોલ
દેશની રાજધાનીમાં એક ચોંકાવનારો મામલો સામે આવ્યો છે. અહીં એક જ ઘરમાંથી 11 લોકોની લાશ મળી આવવાથી હડકંપ મચી ગયો છે.
દેશની રાજધાનીમાં એક ચોંકાવનારો મામલો સામે આવ્યો છે. અહીં એક જ ઘરમાંથી 11 લોકોની લાશ મળી આવવાથી હડકંપ મચી ગયો છે. આ ચોંકાવનારી ઘટના દિલ્હીના બુરાડી વિસ્તારની છે, જ્યાં ઘરની અંદર 11 લોકોની લાશ મળી આવી છે. મારનાર લોકોમાં 7 મહિલાઓ અને 4 પુરુષોની સમાવેશ થાય છે. ઘટનાની જાણકારી મળ્યા પછી પોલીસ ત્યાં પહોંચી ગયી છે અને આ મામલા અંગે તપાસ કરી રહી છે.
મળતી જાણકારી અનુસાર બે પરિવારના કુલ 11 લોકોએ ફાંસી લગાવી દીધી છે. આ ઘર સંત નગર ગુરુ ગોવિંદસિંહ હોસ્પિટલની સામે ગલી નંબર 2 માં આવેલું છે. ધ્યાન આપવા જેવી બાબત છે કે બધી લાશમાં કેટલાકના હાથ બંધાયેલા હતા, કેટલાકના પગ બંધાયેલા હતા તો મોઢા પર પટ્ટી પણ મારવામાં આવી હતી. જગ્યા પર પહોંચેલી પોલીસ જાણકારી મેળવવા માટે પ્રત્યન કરી રહી છે કે આખરે તેમની મૌત કઈ રીતે થયી. હજુ સુધી આ વાતની પુષ્ટિ નથી થયી કે આ સામુહિક હત્યા છે કે પછી આત્મહત્યા.
જે જગ્યા પર આ ઘટના થયી છે કે ત્યાં હાલમાં મોટી સંખ્યામાં લોકો ભેગા થઇ ગયા છે. લોકોને વિશ્વાસ નથી આવી રહ્યો કે આખરે કેવી રીતે આટલા લોકોની મૌત થઇ ગયી. જાણકારી અનુસાર મારનાર લોકોમાં બે ભાઈઓનો પરિવાર છે, જેમાં 7 મહિલા અને 4 પુરુષ શામિલ છે. એક ભાઈ પ્લાયવૂડનો વેપાર કરે છે જયારે બીજા ભાઈને પરચુરણની દુકાન છે.
#LatestVisuals from Delhi's Burari where bodies of 7 women and 4 men have been found at a house; Police present at the spot, investigation on. pic.twitter.com/2MukQxi8az
— ANI (@ANI) July 1, 2018