11 કલાક બાદ ગુરદાસપુર આતંકી હુમલામાં, તમામ આંતકીઓ ઢેર
મુંબઇ પર થયેલા 26/11ના હુમલા બાદ ભારત પર ફરી એક વાર પાકિસ્તાનથી બોર્ડર ઓળંગીને આવેલા કેટલાક હથિયાર બંધ આતંકીઓએ હુમલો કર્યો છે. આ હુમલાને મુંબઇમાં થયેલા હુમલા બાદ બીજો સૌથી મોટા હુમલા તરીકે જોવામાં આવે છે.
આજે સવારે પંજાબના ગુરદાસપુર થયેલા આ આતંકી હુમલામાં અત્યાર સુધીમાં 12 લોકોની મોત થઇ હોવાનું જાણવા મળ્યું છે. જેમાં બે આંતકીઓનો પણ સમાવેશ થાય છે.
માનવામાં આવી રહ્યું છે કે પાક. તરફી કઠુઆના રસ્તેથી સેનાની વર્દીમાં આવેલા આ આંતકીઓએ એક ઢાબા માલિકની કાર લઇને સવારે 5:30 વાગ્યાની ગુરદાસપુરના દીનાનગર પોલિસ સ્ટેશનમાં ધૂસ્યા. આ પહેલા જમ્મુ જઇ રહેલી બસ પર તેમણે ફાયરિંગ કર્યું હતું. દર પાંચ મિનિટ બાદ આંધાધૂધ ગોળીઓ છોડતા આ આંતકીઓ સાથે સેના અને પંજાબ પોલિસ હાલ બે બે હાથ કરી રહી છે.
ત્યારે આ સમગ્ર ધટના વિષે વિસ્તૃત માહિતી મેળવો નીચેના આ ફોટોસ્લાઇડરમાં...

11 કલાક બાદ ગુરદાસપુર આતંકી હુમલામાં, 3 આંતકીઓ ઢેર
પંજાબના ગુરદાસપુરના દીનાનગર પોલિસ સ્ટેશનને આજે સવારે 5:30 ધેરીને બેઠેલા આતંકીઓને મોતને ધાટ ઉતારવામાં સેના અને પંજાબ પોલિસને સફળતા મળી છે. તેમણે 3 આતંકીઓને મારી નાખ્યા છે. જો કે હાલ સેના દ્વારા સર્ચ અભિયાન ચલાવવામાં આવી રહ્યું હતું.

Gurdaspur terror attack
આર્મી યુનિફોર્મમાં આવેલા આતંકી સવારે 5 વાગે ગુરદાસપુર બસ ટર્મિનલ પહોંચ્યા. અહીં તેમના નિશાના પર હતા અમનાથ યાત્રા પર જઇ રહેલા યાત્રીઓ

બસ પર હુમલો
સવારે 5:30 આ આંતકવાદીઓએ જમ્મુથી કટડા જતી બસમાં ધુસીને આંધાધૂધ ગોળીઓ ચલાવી. આ બસમાં ત્યારે 25 થી 30 યાત્રીઓ હતા. આ ફાયરિંગમાં એક વ્યક્તિની મોત થઇ છે અને અનેક લોકો ઇજાગ્રસ્ત છે.

ઢાબા
જે બાદ તેઓ એક ઢાબા માલિકની કાર લઇને ગુરદાસપુરના દીનાનગર પોલિસ સ્ટેશન પહોંચ્યા અને ત્યાં અંધાધૂન ફાયરિંગ કરીને પોલિસ સ્ટેશન પર કબજો જમાવ્યો.

મૃત્યુ
અત્યાર સુધીમાં આ હુમલામાં 12 થી 15 લોકોની મોત થઇ હોય તેવી આશંકા સેવાઇ રહી છે. અને બે આંતકીઓની પણ મોત થઇ છે. આ હુમલામાં ગુરદાસપુરના એસપી બલજીત સિંહ શહીદ થઇ ગયા છે. તેમના માથા પર ગોળી લાગી હતી.

મહિલા આતંકી
નોંધનીય છે કે આ આંતકી હુમલામાં એક મહિલા આતંકી પણ સામેલ છે. જે રોકેટ લોન્ચ કરવામાં એક્સપર્ટ છે. ત્યારે વડાપ્રધાન રાજીવ ગાંધીની હત્યા બાદ આવું પહેલી વાર બની રહ્યું છે. જ્યારે કોઇ મહિલા આતંકી આવી રીતે આતંકી હુમલામાં જોડાઇ હોય.

સમગ્ર વિસ્તારની સિલ
જો કે આ હુમલા બાદ આ સમગ્ર વિસ્તારને ખાલી કરાવી દેવામાં આવ્યો છે. અને સમગ્ર વિસ્તારમાં સેના અને પોલિસના જવાનોને તેનાત કરવામાં આવ્યા છે.

બંદી
નોંધનીય છે કે દીનાનગર પોલિસ સ્ટેશનની પાસે જ પોલિસ ક્વાટર પણ આવેલા છે. સવારે તેવું માનવામાં આવી રહ્યું હતું કે પોલિસકર્મીઓના પરિવારને આંતકીઓએ બંદી બનાવ્યા છે. જો કે જે બાદ માહિતી મળી હતી કે કોઇને પણ હજી સુધી આતંકીઓ દ્વારા બંદી બનાવવામાં નથી આવ્યા.

સેના અને પંજાબ પોલિસ
ત્યારે સવારે 5 વાગ્યાથી ચાલી રહેલ આ ઓપરેશનમાં સેના અને પંજાબ પોલિસ બન્ને મળીને આતંકીઓનો ખાતમો બોલાવી રહી છે.

હોસ્પિટલ
આ પોલિસ સ્ટેશનની પાસે આવેલ હોસ્પિટલને પણ સુરક્ષા કારણોથી ખાલી કરાવવામાં આવી છે.

પાંચ બોમ્બ
બીજી તરફ પંજાબના પઠાણકોટ-અમૃતસર રેલ્વે ટ્રેક પાસે પરમાનંદ ગામ પાસે પાંચ બોમ્બ મળી આવ્યા સેના દ્વારા આ બોમ્બને નિષ્ક્રિય કરવામાં આવ્યા છે. જેને પણ આ ધટના સાથે જોડવામાં આવી રહ્યા છે.

બાદલ સરકાર
જો કે આ હુમલા બાદ પંજાબના મુખ્યમંત્રી પ્રકાશ સિંહ બાદલે કેન્દ્ર સરકારને આ માટે જવાબદાર ગણાવી છે. તેમણે કહ્યું કે આંતકવાદ કેન્દ્રની સમસ્યા છે. રાજ્યની નહીં. આ આતંકીઓ સીમાપારથી આવ્યા છે બીજા રાજ્યથી નહીં. કેન્દ્રએ તે વાતને સુનિશ્ચિત કરવું જોઇએ કે આંતકીઓ સીમા પાર ન કરે.

એલર્ટ પર બબાલ
વળી બાદલે ગુપ્તચર વિભાગ દ્વારા જાહેર કરેલા એલર્ટ પર પણ સવાલ ઉઠાવ્યો છે. તેમણે કહ્યું કે જો ગુપ્તચર વિભાગ દ્વારા એલર્ટ જાહેર કરવામાં આવ્યું હતું તો સીમાને સીલ કેમ નહતી કરાઇ.

રાજનાથની પાકને ચેતવણી
જો કે ગુરદાસપુરમાં થયેલા આતંકી હુમલા પર પ્રતિક્રિયા આપતા કેન્દ્રિય ગૃહપ્રધાન રાજનાથ સિંહે કહ્યું કે અમે પાકિસ્તાન તરફથી શાંતિ ઇચ્છીએ છીએ. અમે સામે ચાલીને હુમલો કરવા નથી ઇચ્છતા પણ પાક. પણ અમારી ધીરજની પરીક્ષા ના લે. જે દિવસે અમારી ધીરજ ખૂટી તે દિવસે અમે તેનો જોરદાર જવાબ આપીશું.

કયાં સંગઠન પર શંકા
આ હુમલામાં કયા સંગઠનનો હાથ હોઇ શકે તેની પર વિવિધ અટકળો ચાલી રહી છે. તેને યાકૂબ મેમણની ફાંસી, 15 ઓગસ્ટ અને અમરનાથ યાત્રાને ટાર્ગેટ કરીને પણ દેખવામાં આવી રહી છે. સાથે જ આઇએસઆઇનો હાથ હોવાની પણ શંકા સેવાઇ રહી છે.

ગુરદાસપુર
ત્યારે ગુરદાસપુરના લોકો પણ દૂરથી થઇ રહેલી આ ફાયરિંગને જેવો એકત્રિત થયા હતા.
-
ગુજરાત સરકારે અમદાવાદ અને સુરત મેટ્રો માટે 34 ટ્રેનસેટ્સનો ઓર્ડર આપ્યો, જાણો શું છે ખાસિયત -
Gujarat Weather: અંબાલાલ પટેલની મોટી આગાહી, 18થી 25 માર્ચ સુધી ગુજરાતમાં કમોસમી વરસાદની શક્યતા -
કચ્છના રણ વચ્ચેથી નીકળશે નવો હાઈવે, કેન્દ્ર સરકારની જાહેરાત -
ગુજરાતમાં કાળઝાળ ગરમી પડવાની હવામાન વિભાગની આગાહી, જાણો તમારા શહેરમાં કેવો રહેશે માહોલ -
Parliament Today: સંસદમાં વિપક્ષનો સરકાર પર LPG-CNG પ્રહાર, આજે ગૃહમાં કયા મુદ્દાઓ પર થશે ચર્ચા -
ગુજરાતની 71 નગરપાલિકાઓમાં સરકારે વહીવટદારની નિમણૂક કરી -
ગુજરાતના 17 જિલ્લાઓમાં ગરમી પરસેવો પડાવશે, હવામાન વિભાગની મોટી આગાહી -
LPG અછતને લઈને ભારત સરકાર એક્શનમાં, જાણો શું કહ્યું? -
ગરમીને લઈને હવામાન વિભાગની નવી આગાહી, આ જિલ્લાઓમાં ઓરેન્જ એલર્ટ -
Gold Silver Rate Today: ઈરાન યુદ્ધની અસર! ચાંદી ₹13,000 મોંઘી, સોનામાં પણ ઉછાળો, જાણો શું છે લેટેસ્ટ ભાવ -
અમદાવાદમાં આકાર લેશે ભવ્ય 'સ્પોર્ટ્સ એન્ક્લેવ', ઓલિમ્પિક સ્તરની સુવિધાઓ માટે સરકારે ખોલી તિજોરી -
કિસાન સન્માન નિધિનો 22મોં હપ્તો ક્યારે આવશે? આવી ગઈ તારીખ











Click it and Unblock the Notifications
