આસામમાં ઉગ્રવાદી હુમલામાં 12ના મોત, 8 ઘાયલ
ગુવાહાટી, 2 મે : આસામના કોકરાઝારમાં આવેલા ગામોમાં એક વ્યક્તિએ અચાનક ગોળીબાર કરીને હુમલો કરતા 18 વ્યક્તિઓ મરણ પામી છે. આ હુમલામાં 8 વ્યક્તિઓ ઘાયલ થઇ હોવાના અહેવાલ મળી રહ્યા છે.
પોલીસના જણાવ્યા અનુસાર એકે47 રાઇફલ્સ સાથે 20થી 25 માણસોના ટોળાએ મોડી રાત્રો હુમલો કર્યો હતો. પ્રાપ્ત માહિતી અનુસાર આ હુમલામાં માર્યા ગયેલા 12 જણોમાં ત્રણ મહિલાઓ અને ચાર બાળકોનો પણ સમાવેશ થાય છે.
ભારે હથિયારો સાથે આવેલા આતંકવાદીઓએ બાલાપરાજન ગામમાં બે ઘરને નિશાન બનાવ્યા હતા. આ ગામ ગોરેશ્વર પોલીસ સ્ટેશનની હદમાં આવે છે. રાતે અંદાજે એક વાગ્યાની આસપાસ આ હુમલો કરાયો હતો. જેમાં સાત લોકોના ઘટના સ્થળે જ મોત થયા હતા.
ઘટના બાદ સ્થાનિક પોલીસ અને મિલ્ટ્રીના જવાનોએ સંયુક્ત ઓપરેશન હાથ ધર્યું છે, સમગ્ર વિસ્તારમાં આ આતંકવાદીઓ માટે સર્ચ ઓપરેશન શરૂ કરાયું છે. ગત મોડી રાતે બસ્કા વિસ્તારમાં પણ આતંકવાદીઓએ ત્રણ લોકો પર ફાયરિંગ કર્યું હતું, જેમાં બે મહિલાઓ અને એક બાળકનો સમાવેશ થયા છે.
આ ઘટનાની ટીકા ઓલ માઇનોરિટી સ્ટુડેન્ટ્સ યુનિયન (આમસૂ) અને એબીએસએસયુ દ્વારા પણ કરવામાં આવી છે. તેમણે સૌને શાંતિ જાળવવાની અપીલ કરી છે.