For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

આસામમાં ઉગ્રવાદી હુમલામાં 12ના મોત, 8 ઘાયલ

|
Google Oneindia Gujarati News

ગુવાહાટી, 2 મે : આસામના કોકરાઝારમાં આવેલા ગામોમાં એક વ્યક્તિએ અચાનક ગોળીબાર કરીને હુમલો કરતા 18 વ્યક્તિઓ મરણ પામી છે. આ હુમલામાં 8 વ્યક્તિઓ ઘાયલ થઇ હોવાના અહેવાલ મળી રહ્યા છે.

પોલીસના જણાવ્યા અનુસાર એકે47 રાઇફલ્સ સાથે 20થી 25 માણસોના ટોળાએ મોડી રાત્રો હુમલો કર્યો હતો. પ્રાપ્ત માહિતી અનુસાર આ હુમલામાં માર્યા ગયેલા 12 જણોમાં ત્રણ મહિલાઓ અને ચાર બાળકોનો પણ સમાવેશ થાય છે.

assam-kakrajhar

ભારે હથિયારો સાથે આવેલા આતંકવાદીઓએ બાલાપરાજન ગામમાં બે ઘરને નિશાન બનાવ્યા હતા. આ ગામ ગોરેશ્વર પોલીસ સ્ટેશનની હદમાં આવે છે. રાતે અંદાજે એક વાગ્યાની આસપાસ આ હુમલો કરાયો હતો. જેમાં સાત લોકોના ઘટના સ્થળે જ મોત થયા હતા.

ઘટના બાદ સ્થાનિક પોલીસ અને મિલ્ટ્રીના જવાનોએ સંયુક્ત ઓપરેશન હાથ ધર્યું છે, સમગ્ર વિસ્તારમાં આ આતંકવાદીઓ માટે સર્ચ ઓપરેશન શરૂ કરાયું છે. ગત મોડી રાતે બસ્કા વિસ્તારમાં પણ આતંકવાદીઓએ ત્રણ લોકો પર ફાયરિંગ કર્યું હતું, જેમાં બે મહિલાઓ અને એક બાળકનો સમાવેશ થયા છે.

આ ઘટનાની ટીકા ઓલ માઇનોરિટી સ્ટુડેન્ટ્સ યુનિયન (આમસૂ) અને એબીએસએસયુ દ્વારા પણ કરવામાં આવી છે. તેમણે સૌને શાંતિ જાળવવાની અપીલ કરી છે.

English summary
Twelve people, including three women and four children, were killed after unidentified men on Thursday attacked several villages in two violence-prone districts in Assam.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X