મુંબઇના 1993ના લોહિયાળ શ્રેણીબધ્ધ વિસ્ફોટોની 20મી વરસી

આજથી 20 વર્ષ પહેલા મુંબઇના જુદા જુદા સ્થળોએ એકપછી એક 12 વિસ્ફોટો થયા હતા. જેમાં 257 જેટલા લોકોના મોત થયા હતા તેમજ 700 જેટલા લોકો ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયા હતા. 12 માર્ચ 1993ની આ તારીખ ભારતના ઇતિહાસમાં કાળા ટપકા સમાન હતી. જેણે ભાગતા દોડતા મુંબઇ સહિત આખા દેશને થંભાવી નાખ્યો હતો. જો આજે પણ એ વિસ્ફોટોની તસવીરો જોઇએ તો આપણા રૂવાડાં ઉભા થઇ જાય અને આંખમાંથી આંસુ આવી જાય.
જોકે એ પછી ઘણીવાર આપણો દેશ આતંકવાદીઓના નિશાના પર રહ્યો અને દેશના અલગ અગલ રાજ્યોમાં વિસ્ફોટો થયા હતા. હાલમાં પણ હૈદરાબાદમાં બે બ્લાસ્ટ થયા હતા, જેમાં પણ 17 લોકોના મોત થયા હતા. જોકે આ આતંકવાદી હુમલાઓ ક્યારે અને ક્યાં જઇને થંભશે એ એક મોટો સવાલ છે.












Click it and Unblock the Notifications
