કાર ખીણમાં પડતા સર્જાયો અકસ્માત, 12 લોકોના મોત
ઉત્તરાખંડના દેહરાદૂન જિલ્લામાં રવિવારની સવારે એક ભયાનક માર્ગ અકસ્માતની ઘટના સામે આવી છે. ચકરાતામાં થયેલા આ અકસ્માતમાં 12 લોકોના મોત થયા છે. આ સાથે અન્ય ઘણા લોકો ઘાયલ થયા છે.
દેહરાદૂન : ઉત્તરાખંડના દેહરાદૂન જિલ્લામાં રવિવારની સવારે એક ભયાનક માર્ગ અકસ્માતની ઘટના સામે આવી છે. ચકરાતામાં થયેલા આ અકસ્માતમાં 12 લોકોના મોત થયા છે. આ સાથે અન્ય ઘણા લોકો ઘાયલ થયા છે.

ઇજાગ્રસ્તોને તાત્કાલિક સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. હાલ તેમની સારવાર ચાલી રહી છે. કાર ખીણમાં પડી જતાં આ અકસ્માત સર્જાયો હતો.
દેહરાદૂનના ચકરાતા તાલુકાના બાયલા ગામમાં એક ભયાનક માર્ગ અકસ્માત થયો હતો. આ માર્ગ અકસ્માતમાં 12 લોકોના મોત થયા હોવાના અહેવાલ છે. અકસ્માતમાં અનેક લોકો ઘાયલ થયા છે.
યુટિલિટી વ્હીકલ બેકાબૂ બનીને ઊંડી ખીણમાં પડી જતાં આ અકસ્માત સર્જાયો હતો. બચાવ રાહત દળ અને વહીવટીતંત્રની ટીમ ઘટનાસ્થળે પહોંચી ગઈ છે.
આ અકસ્માત અંગે ચકરાતાના ધારાસભ્ય પ્રીતમ સિંહે જણાવ્યું કે, આ અકસ્માત સવારે 8 કલાકની આસપાસ સર્જાયો હતો. આ અકસ્માત બહુ ભયાનક હતો. એક વ્યક્તિ જેની હાલત ગંભીર છે, પરંતુ જીવિત છે તેને હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો છે. આ સાથે 6થી 7 મૃતદેહો પણ બહાર કાઢવામાં આવ્યા છે. ઊંડી ખીણમાં અકસ્માત થયો હોવાથી અકસ્માત સર્જાવાના કારણ અંગે કંઈ કહી શકાય નહીં.
-
રાજકોટ AIIMS માં સર્જરીના આંકડામાં ધરખમ ઉછાળો: વર્ષ 2025માં 1,900 થી વધુ ઓપરેશન સફળતાપૂર્વક સંપન્ન -
Crude oil Price Hike: હોર્મુઝ પર ટ્રમ્પની ઘેરાબંધી થી ક્રૂડ ઓઈલની કિંમતમાં તેજ ઉછાળો, ભારતમાં ભાવ શું છે? -
સોનિયા ગાંધીએ સરકારના સીમાંકન પ્રસ્તાવને બંધારણ પર ખતરનાક હુમલો ગણાવ્યો -
સુપરનેચરલ થ્રિલર સીરીઝ ‘FROM’ Season 4 ની વાપસી; જાણો આ સીઝનમાં શું-શું હશે? -
RCB vs MI: મુંબઈ ઈન્ડિયન્સની હારની હેટ્રિક -
સીમાંકન નહીં, મહિલા અનામત એ સાચો મુદ્દો છે: સોનિયા ગાંધી -
ક્યુબાના રાષ્ટ્રપતિ મિગુએલ ડિયાઝ-કેનેલે લશ્કરી કાર્યવાહી અને તેમને પદભ્રષ્ટ કરવાના પ્રયાસો સામે યુએસને ચેતવણી આપી -
"ગુજરાતીઓને મૂર્ખ સમજનારાઓને જનતા જડબાતોડ જવાબ આપશે": વડોદરાથી હર્ષ સંઘવીનો વિપક્ષ પર પ્રહાર -
ગુજરાત કોંગ્રેસે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી પહેલા પોલીસ પર ઉમેદવારોને ડરાવવાનો આરોપ લગાવ્યો -
લખતર-વિરમગામ રોડ પર ટ્રકે પદયાત્રીઓને કચડ્યા, 7 ના કરુણ મોત -
ટ્રમ્પે પશ્ચિમ એશિયાના સંકટ અંગે પીએમ મોદીને અપડેટ કર્યા અને દ્વિપક્ષીય સંબંધોને મજબૂત બનાવ્યા -
લેન્સેટના અભ્યાસમાં ચોંકાવનારો ખુલાસો, 2023માં 1.3 અબજ લોકો લિવરની બીમારીના શિકાર બન્યા






Click it and Unblock the Notifications
