For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

Coronavirus Update: છેલ્લા 24 કલાકમાં 12408 નવા કેસ, 15853 લોકો થયા રિકવર

છેલ્લા 24 કલાકમાં 15853 લોકો કોરોનાથી રિકવર થઈને હોસ્પિટલથી ડિસ્ચાર્જ થઈ ચૂક્યા છે.

|
Google Oneindia Gujarati News

નવી દિલ્લીઃ ચીનના વુહાનથી નીકળેલ કોરોના વાયરસે દુનિયાભરમાં લાખો લોકોના જીવ લઈ લીધા અને કરોડો લોકો આ સંક્રમણની ચપેટમાં આવી ગયા. અમેરિકા, ભારત, બ્રાઝિલ કોરોનાથી સૌથી વધુ પ્રભાવિત થનારા દેશ રહ્યા. પરંતુ કોરોના વેક્સીન આવ્યા બાદ હવે આ વાયરસ ધીમે ધીમે ઘટવા લાગ્યો છે. ભારતમાં કોરોનાથી રિકવર થનારા દર્દીઓનો દર ઘણો સારો છે. આરોગ્ય મંત્રાલયના આંકડા અનુસાર છેલ્લા 24 કલાકમાં 15853 લોકો કોરોનાથી રિકવર થઈને હોસ્પિટલથી ડિસ્ચાર્જ થઈ ચૂક્યા છે. જ્યારે 12408 કોરોનાના નવા દર્દી છેલ્લા 24 કલાકમાં સામે આવ્યા છે. વળી, 120 લોકોના છેલ્લા 24 કલામાં કોરોનાથી મોત થઈ ગયા છે.

coronavirus

દેશમાં કોરોનાથી સંક્રમિત કુલ લોકોની વાત કરીએ તો આ આંકડો એક કરોડને પાર કરી ચૂક્યો છે અને અત્યાર સુધી દેશમાં 1,08,02, 591 લોકો કોરોનાથી સંક્રમિત થઈ ચૂક્યા છે. જ્યારે 1,04,96,308 લોકો કોરોનાથી રિકવર થઈને ડિસ્ચાર્જ થઈ ચૂક્યા છે. કોરોનાથી દેશમાં અત્યાર સુધી 1,54,823 લોકોના મોત થઈ ચૂક્યા છે જ્યારે કુલ સક્રિય કેસની વાત કરીએ તો તે 1,51,460 છે. 16 જાન્યુઆરીએ કોરોના રસીકરણ અભિયાનની ભારતમાં શરૂઆત થઈ ચૂકી છે અને અત્યાર સુધી દેશમાં 49,59,445 લોકોને કોરોના રસી લગાવવામાં આવી ચૂકી છે.

Bank of Barodaના ખાતાધારકો 1 માર્ચથી નહિ કરી શકે લેવડ-દેવડBank of Barodaના ખાતાધારકો 1 માર્ચથી નહિ કરી શકે લેવડ-દેવડ

English summary
12408 New coronavirus cases in last 24 hours, 15853 discharged.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X