બજેટને લઈને સરકારની મોટી તૈયારી, 15 થી 17 લાખ કમાનારાને મળી શકે છે મોટી રાહત
કેન્દ્રમાં નવી એનડીએ સરકારે અંતરીમ બજેટ બાદ હવે પૂરક બજેટની તૈયારીઓ શરૂ કરી છે. આ બજેટમાં ઘણી મોટી જાહેરાતો થઈ શકે છે.
કેન્દ્ર સરકાર આવતા મહિને પૂરક બજેટ રજૂ કરવા જઈ રહી છે. આ સંદર્ભમાં કેન્દ્રીય નાણામંત્રી નિર્મલા સીતારમણ સતત બેઠકો કરી રહ્યા છે.

હવે નાણા મંત્રાલય બજેટમાં મધ્યમ વર્ગને રાહત આપવા માટે આવકવેરા મુક્તિ સંબંધિત વિકલ્પો પર ગંભીરતાથી વિચાર કરી રહ્યું છે.
આ બજેટમાં નોકરીયાત લોકો એનડીએ સરકાર પાસેથી આવકવેરા મુક્તિની અપેક્ષા રાખી રહ્યા છે, નાણા મંત્રાલયના સૂત્રો અનુસાર, સરકાર નવી ટેક્સ સિસ્ટમમાં ફેરફાર કરી શકે છે.
અહેવાલો અનુસાર, સરકાર વાર્ષિક 15 થી 17 લાખ રૂપિયાની કમાણી કરનારાઓ માટે આવકવેરાના દર ઘટાડવા પર વિચાર કરી રહી છે. સરકાર વધુને વધુ લોકોને નવી ટેક્સ વ્યવસ્થા હેઠળ લાવવાનો પ્રયાસ કરી રહી છે.
જણાવી દઈએ કે, છેલ્લા કાર્યકાળમાં મોદી સરકારે નવી ટેક્સ વ્યવસ્થા શરૂ કરી હતી, સરકાર નવી ટેક્સ વ્યવસ્થાને લોકપ્રિય બનાવવા માટે તેમાં સતત ફેરફારો કરી રહી છે.
હવે જો વાર્ષિક 15 થી 17 લાખની કમાણી કરનારાઓ માટે નવા ટેક્સ પ્રણાલી હેઠળ ઓછા ટેક્સની જોગવાઈ કરવામાં આવે તો તેનાથી લોકોને મોટા પાયે રાહત મળશે.
જણાવી દઈએ કે, નવી ટેક્સ વ્યવસ્થા હેઠળ સરકાર 7 લાખ રૂપિયા સુધીની વાર્ષિક આવક પર આવકવેરામાં છૂટ આપે છે. જ્યારે જૂની ટેક્સ વ્યવસ્થા હેઠળ 5 લાખ રૂપિયા સુધીની વાર્ષિક આવક પર કોઈ ટેક્સ ચૂકવવો પડતો નથી. આ પછી બંને પર 50 હજાર રૂપિયાનું સ્ટાન્ડર્ડ ડિડક્શન પણ લાગુ થશે. તેનો અર્થ એ છે કે નવી ટેક્સ સિસ્ટમ હેઠળ 7.50 લાખ રૂપિયા સુધીની વાર્ષિક આવક પર કોઈ ટેક્સ ચૂકવવો નહીં પડે.
-
યુએસ-ઈરાન વાટાઘાટો: અમેરિકા અને ઈરાન વચ્ચે કેમ વાત ન બની? હોર્મુઝથી ન્યૂક્લિયર સુધી, આ 5 કારણોએ શાંતિનો માર્ગ -
યુ.એસ. ઈરાન વાટાઘાટો નિષ્ફળ થયા બાદ તેલના ભાવ વધ્યા -
ક્યુબાના રાષ્ટ્રપતિ મિગુએલ ડિયાઝ-કેનેલે લશ્કરી કાર્યવાહી અને તેમને પદભ્રષ્ટ કરવાના પ્રયાસો સામે યુએસને ચેતવણી આપી -
Crude oil Price Hike: હોર્મુઝ પર ટ્રમ્પની ઘેરાબંધી થી ક્રૂડ ઓઈલની કિંમતમાં તેજ ઉછાળો, ભારતમાં ભાવ શું છે? -
સુપરનેચરલ થ્રિલર સીરીઝ ‘FROM’ Season 4 ની વાપસી; જાણો આ સીઝનમાં શું-શું હશે? -
RCB vs MI: મુંબઈ ઈન્ડિયન્સની હારની હેટ્રિક -
મુંબઇ ઇન્ડિયન્સે બુમરાહની ભૂમિકા પર પુનર્વિચાર કરવો જોઈએઃ ફાફ -
લખતર-વિરમગામ રોડ પર ટ્રકે પદયાત્રીઓને કચડ્યા, 7 ના કરુણ મોત -
રાજકોટ AIIMS માં સર્જરીના આંકડામાં ધરખમ ઉછાળો: વર્ષ 2025માં 1,900 થી વધુ ઓપરેશન સફળતાપૂર્વક સંપન્ન -
"ગુજરાતીઓને મૂર્ખ સમજનારાઓને જનતા જડબાતોડ જવાબ આપશે": વડોદરાથી હર્ષ સંઘવીનો વિપક્ષ પર પ્રહાર -
સોનિયા ગાંધીએ સરકારના સીમાંકન પ્રસ્તાવને બંધારણ પર ખતરનાક હુમલો ગણાવ્યો





Click it and Unblock the Notifications
