'2 મે બાદ એસસી સમાજમાં 12 રેપ, 20 હત્યા સહિત 1627 ઘટનાઓ', બંગાળ હિંસા પર NCSCનો ચોંકાવનારો રિપોર્ટ

રાષ્ટ્રીય અનુસૂચિત જાતિ પંચ(NCSC)ના પ્રમુખ વિજય સાંપલાએ શુક્રવારે(14 મે)નો આરોપ લગાવ્યો કે વિધાનસભા ચૂંટણી 2021ના પરિણામો બાદ 2 મેથી જ પશ્ચિમ બંગાળમાં બળાત્કાર અને હત્યાઓ થઈ રહી છે.

કોલકત્તાઃ રાષ્ટ્રીય અનુસૂચિત જાતિ પંચ(NCSC)ના પ્રમુખ વિજય સાંપલાએ શુક્રવારે(14 મે)નો આરોપ લગાવ્યો કે વિધાનસભા ચૂંટણી 2021ના પરિણામો બાદ 2 મેથી જ પશ્ચિમ બંગાળમાં બળાત્કાર અને હત્યાઓ થઈ રહી છે. પ્રેસ કૉન્ફરન્સનો સંબોધિત કરીને એનસીએસસીના પ્રમુખ વિજય સાંપલાએ કહ્યુ, '2 મે બાદ પશ્ચિમ બંગાળમાં જે રીતે ઘટનાઓ બની છે, તે ચિંતાજનક છે. 1947 એટલે કે આઝાદી પછી પહેલી વાર બળાત્કાર અને હત્યાઓ કોઈ રાજ્ય સંરક્ષણ વિના થઈ રહી છે. બંગાળ હિંસામાં સૌથી વધુ પ્રભાવિત અનુસૂચિત જાતિના લોકો છે.' કેસોની સંખ્યાનુ વર્ણન કરીને વિજય સાંપલાએ કહ્યુ, 'એસસી સમાજ સામે હિંસામાં અત્યાર સુધી 10-12 બળાત્કાર, 15-20 હત્યાના કેસ સહિત 1627 ઘટનાઓ સામે આવી છે. વળી, 672 નવા કેસ સામે આવ્યા છે.'

west bengal

પોલિસ સ્ટેશન જતા લોકો પર હુમલો કરવામાં આવ્યોઃ વિજય સાંપલા

વિજય સાંપલાએ કહ્યુ, 'મે આ સમગ્ર મામલે એડીજીપીને એસએચઓ સામે તપાસ કરવા માટે કહ્યુ છે. પુનર્વાસા (ગ્રામીઓનુ) રાજ્ય દ્વારા વહન કરવુ જોઈએ.' નબાગ્રામની પોતાની યાત્રા વિશે એનસીએસસી પ્રમુખ વિજય સાંપલાએ કહ્યુ, 'જ્યારે મે નબાગ્રામનો પ્રવાસ કર્યો ત્યારે પોલિસે મને જણાવ્યુ કે બંને પક્ષોના ગુનેગારો એસસીસ સમાજના હતા પરંતુ પૂછપરછ કરવા પર જાણવા મળ્યુ કે આમાં ઘણા વ્યક્તિઓ શામેલ હતા જે જનરલ કેટેગરીથી આવે છે અને જે(એસસીથી) ફરિયાદ નોંધાવા માટે પોલિસ સ્ટેશન ગયા હતા, તેના પર હુમલો કરવામાં આવ્યા હતા, તેમની મારપીટ કરવામાં આવી રહી હતી. તેમના ઘર લૂંટી લેવામાં આવ્યા હતા. લોકો પોલિસમાં ફરિયાદ નોંધાવાથી ડરી રહ્યા છે. આ મહિનાની શરૂઆતમાં ભાજપે આરોપ લગાવ્યો હતો કે પશ્ચિમ બંગાળમાં ચૂંટણી પછી થયેલી હિંસામાં તેમની પાર્ટીના 9 કાર્યકર્તા માર્યા ગયા છે. જો કે તૃણમૂલ કોંગ્રેસ(ટીએમસી) આ આરોપોનુ ખંડન કરતી રહી છે.

વિશ્વ હિંદુ પરિષદે રાષ્ટ્રપતિ પાસે કરી કાર્યવાહી કરવાની માંગ

7 મેના રોજ ગૃહ મંત્રાલય દ્વારા ચાર સભ્યોની ટીમને પશ્ચિમ બંગાળમાં હિંસા પ્રભાવિત વિસ્તારોનુ નિરીક્ષણ કરવા માટે મોકલવામાં આવ્યા છે. આ ટીમે હાલમાં જ જમીની સ્થિતિની સમીક્ષા કરવા માટે પશ્ચિમ બંગાળના દક્ષિણ 24 પરગણા જિલ્લાના ડાયમંડ હાર્બર વિસ્તારની મુલાકાત લીધી હતી. આ દરમિયાન વિશ્વ હિંદુ પરિષદે(વિહિપ) રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદને પશ્ચિમ બંગાળમાં ટીએમસી કાર્યકર્તાઓ અને જેહાદીઓ દ્વારા કરવામાં આવેલી હિંસાને તરત રોકવા માટે પ્રભાવી પગલાં લેવાનો અનુરોધ કર્યો છે. વિહિપના કાર્યકારી અધ્યક્ષ આલોક કુમાર દ્વારા લખવામાં આવેલા એક પત્રમાં પરિષદે કહ્યુ કે પશ્ચિમ બંગાળમાં ચૂંટણી પછીની હિંસા 'મુસ્લિમ લીગની સીધી કાર્યવાહી' ની યાદ અપાવે છે. 2 મેના રોજ પશ્ચિમ બંગાળ વિધાનસભા ચૂંટણી સભાના પરિણામ ઘોષિત થયા બાદ રાજ્યના ઘણા ભાગોમાં હિંસાની ઘટનાઓ સામે આવી હતી.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X