For Quick Alerts
For Daily Alerts
જમ્મૂમાં બસ ખીણમાં ખાબકી, 17ના મોત
આ દુર્ઘટના અંગે એક અધિકારીએ જણાવ્યું કે, જમ્મૂથી 170 કિ.મી દૂર રામબન જિલ્લામાં જમ્મૂ-શ્રીનગર રાજમાર્ગ પરથી પસાર થઇ રહી હતી, તે દરમિયાન બસના ચાલકે નિયંત્રણ ગુમાવી દીધું હતું અને બસ ઉંડી ખીણમાં ખાબકી હતી. અધિકારીએ જણાવ્યું કે, આ દુર્ઘટનામાં અત્યારસુધીમાં 17 લોકોના મોત નીપજ્યાં છે, જ્યારે 27 લોકોને ઇજા પહોંચી છે. જેમને નજીકની હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યા છે.
માહિતી અનુસાર બસમાં મુસાફરી કરી રહેલા મોટાભાગના મુસાફરો યુવાન હતા, જેઓ પૂંછ અને રાજૌરી જિલ્લામાંથી કોઇ ભરતી પ્રક્રિયામાં ભાગ લેવા માટે કાશ્મીર ઘાટી જઇ રહ્યાં હતા. બસમાં સવાર કેટલાક યાત્રીઓમાં ગુજરાતના યાત્રાળુઓ પણ હતા. અધિકારીએ જણાવ્યું કે, ક્ષેત્રમાં તૈનાત સેનાના જવાન રાહત અને બચાવ કાર્યમાં પ્રશાસનને મદદ કરી રહ્યાં છે.
Comments
English summary
Seventeen people were killed and 27 injured when a bus going to the Srinagar fell into a deep gorge on the Jammu-Srinagar highway in Ramban district of Jammu region on Tuesday.