ટાઇટલરને ઝાટકો, 84ના તોફાનોની પુનઃ તપાસ સામે સ્ટેનો ઇનકાર
India
oi-KumarDushyant
By Kumar Dushyant
નવી દિલ્હી, 12 જુલાઇ: વર્ષ 1984ના શિખ રમખાણોના આરોપી જગદીશ ટાઇટલરને શુક્રવારે સુપ્રીમ કોર્ટે ઝટકો આપ્યો છે. તેમને સુપ્રીમ કોર્ટ પાસે માંગણી કરી હતી કે તેમની વિરૂદ્ધ કરવામાં આવી રહેલી તપાસ બંધ કરી દેવામાં આવે પરંતુ સુપ્રીમ કોર્ટે તેમની માંગણીને નામંજૂર કરી દેતાં તપાસ ચાલુ રાખવાનો આદેશ કર્યો હતો. અત્રે ઉલ્લેખનીય છે કે સિખ વિરોધી રમખાણોમાં જગદીશ ટાઇટલર પર ગંભીર આરોપ છે.
આ પહેલાં એપ્રિલમાં જગદીશ ટાઇટલરને ઝટકો આપતાં દિલ્હીની એક કોર્ટે તેમના વિરૂદ્ધ 1984ના કોમી રમખાણોને ફરી ખોલવાનો આદેશ કર્યો હતો. તેમના વિરૂદ્ધ તે સુપ્રીમ કોર્ટ ગયા હતા. દિલ્હીની કોર્ટે આ કેસ બંધ કરવા માટે કેન્દ્રિય તપાસ બ્યૂરોની રિપોર્ટને નકારી કાઢી હતી. આ પહેલાં કોંગ્રેસ નેતાને ક્લીનચીટ આપવામાં આવી હતી.
The Supreme Court on Friday rejected Congress leader Jagdish Tytler's plea seeking a stay on the probe against him in the 1984 Sikh riots case, as the matter is pending in Delhi High Court.