કોરોનાનો કહેર યથાવત, ગત 24 કલાકમાં 2.61 લાખ નવા મામલા
કોરોનાનો કહેર યથાવત, ગત 24 કલાકમાં 2.61 લાખ નવા મામલા
કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલય દ્વારા રવિવારે જાહેર કરાયેલા આંકડાઓ મુજબ ભારતમાં ગત 24 કલાકમાં કોરોનાવાયરસના 2,61,500 નવા મામલા સામે આવ્યા, જ્યારે આ દરમ્યાન 1501 લોકોના આ વાયરસથી મોત થયાં છે. જ્યારે 1,38,423 લોકો આ દરમ્યાન સંક્રમણથી સાજા થયા છે. નવા મામલા સાથે ભારતમાં કોરોનાવાયરસથી સંક્રમિત મામલાની કુલ સંખ્યા 1,47,88,109 થઈ ગઈ છે. જ્યારે વર્તમાનમાં ભારતમાં કોરોનાના 18,01,316 સક્રિય મામલા છે. જ્યારે દેશમાં અત્યાર સુધી 1,28,09,643 લોકો સંક્રમણથી મુક્તિ પામી ચૂક્યા છે, જ્યારે 1,77,150 લોકોનાં કોરોનાવાયરસથી આ દેશમાં મોત થયાં છે.

કોરોના પર કાબૂ મેળવવા માટે યુદ્ધ સ્તરે રસીકરણ અભિયાન ચલાવવામાં આવી રહ્યું છે. દેશભરમાં અત્યાર સુધી 12,26,22,590 લોકોનું રસીકરણ કરવામાં આવ્યું છે. ભારતમાં કોરોનાના સૌથી વધુ મામલા મહારાષ્ટ્ર, કેરળ, કર્ણાટક, તમિલનાડુ, આંધ્ર પ્રદેશ, દિલ્હી, ઉત્તર પ્રદેશ, પશ્ચિમ બંગાળ, છત્તીસગઢ અને રાજસ્થાનથી આવી રહ્યા છે.
રાજધાની દિલ્હીમાં પાછલા કેટલાક દિવસોમાં કોરોના વાયરસના મામલામાં ફરીથી તેજી જોવા મળી છે. આની સાથે જ ત્યાં મોતનો આંકડો પણ સતત વધી રહ્યો છે. કોરોનાવાયરસથી થતાં મોતના મામલે બ્રાઝીલ શીર્ષ પર છે. જ્યારે દૈનિક આધાર પર થનાર મોતની સંખ્યા અન્ય દેશોના મુકાબલે વધુ છે. દુનિયામાં કોરોનાથી થતું હરેક ચોથાં મોતથી એક મોત બ્રાઝીલમાં થી રહ્યું છે. શનિવારે બ્રાઝીલમાં કોરોનાથી 2860 લોકોનાં મોત થયાં.
જ્યારે કોરોનાથી થતા દૈનિક મોતના મામલામાં બ્રાઝીલ બાદ ભારતનો નંબર આવે છે. જ્યારે અમેરિકા અને મેક્સીકો ત્રીજા અને ચોથા નંબરે આવે છે.












Click it and Unblock the Notifications
