જમ્મૂ, 8 જાન્યુઆરીઃ જમ્મૂ કાશ્મિરના પૂંછ જિલ્લા નજીક એલઓસી પાસે પાકિસ્તાની આર્મી દ્વારા કરવામાં આવેલા ઓપન ફાયરિંગમાં બે ભારતીય જવાનો શહિદ થયા હોવાના અહેવાલ છે. પૂંછમાં માન્કોટે અને એલઓસી પાસે ભારતીય આર્મી દ્વારા પેટ્રોલિંગ કરવામાં આવી રહ્યું હતું, ત્યારે પાકિસ્તાની આર્મી દ્વારા ફાયરિંગ કરવામાં આવ્યું હોવાનું આર્મી અધિકારીઓએ જણાવ્યું છે.
જો કે, હજુ સુધી વધું માહિતી મળી નથી, પરંતુ અધિકારીઓનું કહેવું છે કે, બે જવાનો શહિદ થયા છે અને અન્ય એક જવાનને ઇજા પહોંચી છે. પાકિસ્તાની આર્મી દ્વારા સીઝફાયરની વાતને અવગણીને આ ફાયરિંગ કરવામાં આવ્યું છે. વાતાવરણને જાણવા માટે એલઓસીની અંદર ભારતીય સાઇડમાં પાકિસ્તાની આર્મી મોકલવામાં આવી રહી છે.
છેલ્લા એક મહિનાની અંદર પાકિસ્તાન આર્મી દ્વારા ડઝનેક વખત સીઝફાયર એગ્રીમેન્ટને તોડવામાં આવ્યું છે. આ બનાવો મોટા ભાગે રાજૌરી, યુરી અને કેરણ વિસ્તારમાં જોવા મળી રહ્યાં હોવાનું આર્મી અધિકારીઓએ જણાવ્યું છે.
Two army jawans were killed by Pakistani troops in an attack on a patrol party along the Line of Control (LoC) in Poonch district of Jammu and Kashmir today.