For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

જમ્મુઃ શોપિયાંમાં સેનાનું એન્કાઉન્ટર, 2 આતંકવાદીઓ ઠાર મરાયા

જમ્મુઃ શોપિયાંમાં સેનાનું એન્કાઉન્ટર, 2 આતંકવાદીઓ ઠાર મરાયા

|
Google Oneindia Gujarati News

નવી દિલ્હીઃ જમ્મુ-કાશ્મીરમાં સેના અને આતંકવાદીઓ વચ્ચે અથડામણ ચાલી રહી છે. જાણકારી મુજબ આ અથડામણ જમ્મુ કાશ્મીરના શોપિયા જિલ્લાના મેલ્હોરા વિસ્તારમાં ચાલી રહી છે. સેનાએ બે આતંકવાદીઓને ઠાર માર્યા છે. વિસ્તારમાં કેટલા આતંકવાદીઓ છૂપાયા છે તે અંગે હજી જાણકારી મળી નથી. સેનાએ સમગ્ર વિસ્તારને ચારે તરફથી ઘેરી લીધો છે. બંને તરફતી ગોળીબાર થઈ રહ્યો છે. 55 આરઆર અને જૌનાપોરા પોલીસ સહિત સંયુક્ત સુરક્ષા બળ તરફથી વિસ્તારને ઘેરી લીધા અને સર્ચ ઓપરેશન શરૂ કરાયા બાદ અથડામણ શરૂ થઈ ગઈ. બેથી ત્રણ આતંકવાદીઓ ઘેરાયેલા હોવાનું માનવામાં આવી રહ્યું છે. બંને તરફથી જોરદાર ફાયરિંગ થઈ રહ્યું છે.

army

મેલ્હોરા ગામમાં આતંકવાદીઓ છૂપાયા હોવાની સુરક્ષાબલોને સૂચના મળી. આ સૂચના પર સેનાની 55 રાષ્ટ્રીય રાઈફલ્સ, સીઆરપીએફ તથા એસઓજીની ટીમે ગામની ઘેરેબંધી કરી સર્ચ ઓપરેશન ચલાવ્યું. ઘેરો સખ્ત થતો જોઈ એક મકાનમાં છૂપાયેલ આતંકવાદીઓએ સુર7ાબળોને નિશાન બનાવી ફાયરિંગ શરૂ કરી દીધું. પહેલા તો સુરક્ષા બળોએ તેમને સમર્પણ કરવા કહ્યું. જે બાદ પણ આતંકવાદીઓએ ગોળીબાર ચાલુ રાખ્યો તો સુરક્ષાબળોએ પણ જવાબી કાર્યવાહી કરી. જેનાથી અથડામણ શરૂ થઈ ગઈ. સુરક્ષાદળોએ સમગ્ર વિસ્તારને ઘેરી રાખ્યો છે.

અગાઉ મંગળવારે સાંજે આતંકવાદીઓએ શોપિંયાના એક ગામની દુકાન પર હુમલો કર્યો હતો. આ હુમલામાં દુકાનદારનું મોત થયું હતું. હુમલા બાદ સંદિગ્ધ આતંકવાદીઓએ એક પોલીસ ઑફિસર પાસેથી હથિયાર છીનવવાની કોશિશ કરી. હુમલા બાદ પોલીસે હવાઈ ફાયરિંગ કરતાં પીછો કર્યો.

5 વર્ષના બાળકને કોરોનાની જરૂરી દવા પહોંચાડવા રેલવે આગળ આવ્યું, પુણેથી બેલગામ દવા મોકલી5 વર્ષના બાળકને કોરોનાની જરૂરી દવા પહોંચાડવા રેલવે આગળ આવ્યું, પુણેથી બેલગામ દવા મોકલી

English summary
2 terrorists killed in an encounter in Jammu Kashmir Shopian.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X