COVID-19 તમિલનાડુમાં નવા 3 મામલાની પુષ્ટિ, સંક્રમિતોની સંખ્યા 31 થઈ
COVID-19 તમિલનાડુમાં નવા 3 મામલાની પુષ્ટિ, સંક્રમિતોની સંખ્યા 31 થઈ
ચેન્નઈઃ તમિલનાડુમાં ગુરુવારે વિદેશથી આવેલ 24 વર્ષીય એક વ્યક્તિ સહિત ત્રણ લોકો કોરોના વાયરસથી સંક્રમિત હોવાની પુષ્ટિ થઈ છે. હવે પીડિતોની કુલ સંખ્યા તમિલનાડુમાં 31 પર પહોંચી ગઈ છે. રાજ્ય સ્વાસ્થ્ય વિભાગે જણાવ્યું કે આ નવા ત્રણ મામલામા એક વ્યક્તિ દુબઈથી પરત ફર્યો હતો. જ્યારે બીજો વ્યક્તિ લંડનથી પરત ફર્યો હતો અને તેના સંપર્કમાં 65 વર્ષીય એક મહિલા આવી હતી. સ્વાસ્થ્ય મંત્રી સી. વિજય ભાસ્કરે પોતાના સોશિયલ મીડિયા અકાઉન્ટ પર જણાવ્યું કે એક મામલો ત્રિચીનો છે. દર્દી પૃથક અને સ્થિર હાલતમાં છે. સ્વાસ્થ્ય વિભાગે જણાવ્યું કે અન્ય બે મામલા ચેન્નઈના છે અને બંનેને હોસ્પિટલમાં દાખલ કરવામાં આ્યા છે. રાજ્યમાં કુલ 31 મામલાની પુષ્ટિ થઈ છે જેમાંથી એકના ઈલાજ બાદ હોસ્પિટલેથી રજા આપી દેવામાં આવી છે જ્યારે એક મહિલાનું મોત થયું છે.
અધિકારીઓએ જણાવ્યું કે ઉત્તર પ્રદેશથી ટ્રેન યાત્રા કરી રાજ્યમાં પહોંચેલ 20 વર્ષીય વ્યક્તિ કોરોના વાયરસથી સંક્રમિત મળ્યો હતો અને રાજીવ ગાંધી ગવર્નમેન્ટ જનરલ હોસ્પિટમલાં તેનો ઈલાજ કરવામાં આવ્યો છે અને તેને જલદી જ રજા આપી દેવામાં આવે તેવી સંભાવના છે.
કોરોના સામેની જંગમાં G-20 દેશ 5 ટ્રિલિયન ડૉલરની મદદ કરશે, બેઠકમાં મોદી પણ સામેલ થયા