કોલકત્તામાં અલકાયદા સાથે જોડાયેલ 3 સંદિગ્ધ આતંકી પકડાયા
કોલકત્તામાં અલકાયદા સાથે જોડાયેલા 3 સંદિગ્ધ આતંકીઓને પકડવામાં એસટીએફ મળી સફળતા. આ અંગે વધુ જાણો અહીં.
કુખ્યાત આતંકી સંગઠન અલકાયદાના ત્રણ સંદિગ્ધ આતંકીઓને પકડવામાં આવ્યા છે. આ ત્રણેયને કોલકત્તાના રેલ્વે સ્ટેશનથી પકડવામાં આવ્યા છે. પકડાયેલા આતંકીઓમાંથી બે બાંગ્લાદેશના છે. અને એક કોલકત્તાના બશીરહાટ જિલ્લાનો રહેવાસી છે. એસટીએફ દ્વારા આ ત્રણ આતંકીઓની પૃષ્ઠી કરવામાં આવી છે. તેમની પાસેથી લેપટોપ, અલકાયદાની બુક અને પેન ડ્રાઇવ મળ્યા છે. એસટીએફ મામલે પોલીસ તપાસ કરી રહી છે. એસટીએફ આ ત્રણ આતંકીઓની વિષે વધુ વિગતો ના જણાવતા ખાલી એટલું જ કહ્યું હતું કે આ ત્રણેય આંતકીઓ કોલકત્તાની રેકી કરી રહ્યા હતા. અને ત્રણેય કોઇ મોટી ઘટનાને અંજામ આપવાની તૈયારીમાં હતા.

ડીસી એસટીએફ કોલકત્તા પોલીસ મુરલીઘર શર્માએ જણાવ્યું કે આમાંથી બે આતંકી ગત દોઢ વર્ષથી ગેરકાનૂની રીતે ભારતમાં રહી રહ્યા હતા. અને તેમની પાસે બોમ્બ બનાવાની ડિટેલ પણ મળી છે. શર્માએ કહ્યું કે અંસાર બાંગ્લા જે બાંગ્લાદેશનું ચરમપંથી સંગઠન છે તેનાથી આ આતંકીઓ સંબંધ ધરાવે છે. ત્યારે હાલ પોલીસ આ ત્રણેય આતંકીઓને પકડીને તેમનાથી વધુ જાણકારી મેળવી રહી છે. ઉલ્લેખનીય છે કે થોડા સમય પહેલા સુરતમાંથી પણ આઇએસઆઇએસ સાથે સંબંધ ધરાવતા આતંકીઓને પકડવામાં આવ્યા હતા. તે બાદ હવે કોલકત્તાથી અલકાયદા સાથે જોડાયેલા ત્રણ આતંકીઓની અટક કરવામાં પોલીસ અને ગુપ્તચર સંસ્થાઓને સફળતા મળી છે.
-
ભારતને મળ્યા તેના પ્રથમ 'વર્કપ્લેસ હેપ્પીનેસ એવોર્ડ્સ', ઉદ્યોગના દિગ્ગજો દ્વારા નેતૃત્વ -
લેન્સેટના અભ્યાસમાં ચોંકાવનારો ખુલાસો, 2023માં 1.3 અબજ લોકો લિવરની બીમારીના શિકાર બન્યા -
ટ્રમ્પે પશ્ચિમ એશિયાના સંકટ અંગે પીએમ મોદીને અપડેટ કર્યા અને દ્વિપક્ષીય સંબંધોને મજબૂત બનાવ્યા -
દૂન લિટ ફેસ્ટ દેહરાદૂનમાં સાહિત્ય, સિનેમા, ઇતિહાસ, નેતૃત્વ અને ટેક્નોલોજીને એકસાથે લાવે છે -
Weather Update: દેશના 11 રાજ્યોમાં ભારે વરસાદ અને વાવાઝોડાની આગાહી -
અમદાવાદમાં ડ્રગ્સ સામે લાલ આંખ: ઘીકાંટા અને બોપલમાંથી 4 શખ્સો ઝડપાયા, ₹21 લાખનો મુદ્દામાલ જપ્ત -
ગુજરાત હાઈકોર્ટે AI ના દુરુપયોગ અને ડીપફેક નિયમન અંગે મેટા, ગૂગલ અને એક્સને નોટિસ ફટકારી -
અમેરિકા-ઈરાન તણાવ વચ્ચે પશ્ચિમ એશિયા સંકટ પર ઇઝરાયલી સમકક્ષ સાથે વિદેશ મંત્રી જયશંકરની વાતચીત





Click it and Unblock the Notifications
